Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

ટી.સી. મુક્‍તારભાઈ કાજીએ ફર્સ્‍ટ ક્‍લાસમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલ રવિ અને રોહીત વિરૂધ્‍ધ જી.આર.પી. વલસાડમાંનોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવી ગુનો છે છતાંય માથાભારે મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા હોય છે. કંઈક તેવી જ ઘટના ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ગતરોજ ઘટી હતી. ડુંગરી નજીક ફસ્‍ટક્‍લાસ કોચમાં મુસાફરી કરી રહેલ બે ભાઈઓ પાસે ચેકીંગ દરમિયાન ટી.સી.એ ટિકિટ માંગી હતી. ટિકિટ નહી બતાવતા દંડ કરવાનું જણાવતા બે ભાઈઓએ ટી.સી. ઉપર હુમલો કરી રોકડ તથા મોબાઈલ ઝૂટવી લેતા ટી.સી.એ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ભિલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ટી.સી. મુક્‍તારભાઈ મોહંમદ કાજી રાબેતા મુજબ ડુંગરી સ્‍ટેશને ટ્રેનમાં ફસ્‍ટ ક્‍લાસ કોચમાં ટિકિટ ચેકીંગ કરવા ચઢયા હતા. કોચમાં મુસાફરી કરી રહેલ રવિ સરોજકુમાર અને રોહીત સરોજકુમાર નામના બે ભાઈઓ પાસે ટી.સી.એ ટિકિટ માંગી હતી. જે રજૂ નહી કરતા ટી.સી.એ દંડ ભરવાનું જણાવેલું. તેથી ઉશ્‍કેરાઈને બન્ને ભાઈઓએ ટી.સી. ઉપર હુમલો કરી રોકડા 760 અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. બન્ને ભાઈઓ બિલીમોરા પહેલા નીચે ઉતરી ફરાર થઈ ગયા હતા તેથી ટી.સી. મુક્‍તારભાઈએ વલસાડ જી.આર.પી.માં બન્ને વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

સંઘપ્રદેશ વન વિભાગ દ્વારા ‘69મા વન્‍યજીવ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી દમણમાં નમો પથ ઉપર શાળાના વિદ્યાર્થીઓની યોજાયેલી રેલીઃ દેવકા ઈકો પાર્ક ખાતે વન ભોજનના કાર્યક્રમનું પણ કરાયેલું આયોજન

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ખોટી ભ્રામક વાતોથી છેતરાયા હોવાનો લોકોને અહેસાસ થતાં દમણ-દીવમાં આજે જો ચૂંટણી થાય તો ભાજપ પ્રચંડ બહુમતિથી વિજયી બનેઃ ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

Leave a Comment