Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

સ્‍પર્ધામાં વિજેતાઓને તા.29મીના ગુરૂવારે પુરસ્‍કારનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: રાજભાષા વિભાગ, દમણ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગત 16મી સપ્‍ટેમ્‍બરના શુક્રવારે કર્મચારીઓ માટે શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધા રાજભાષા વિભાગ, દમણમાં સવારે 11 વાગ્‍યાથી યોજવામાં આવી હતી. કર્મચારીઓ વર્ગ માટે યોજાયેલી આ સ્‍પર્ધામાં દમણ જિલ્લાના જુદા જુદા કાર્યાલયોના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ કર્મચારીઓએ શબ્‍દાવલી જ્ઞાનમાં પૂછાયેલા શબ્‍દોનો પુરી નમ્રતાથી જવાબો આપ્‍યા હતા. આ અવસરે કર્મચારીઓએ જણાવ્‍યું હતું કે, સ્‍પર્ધાઓમાં ભાગ લેવાથી કંઈક નવા શબ્‍દોને જાણવાનો અવસર મળે છે જેનો કાર્યાલયોમાં પ્રયોગ કરવા માટે મદદરૂપ થાય છે.
બપોરે 3 વાગ્‍યાથી કર્મચારીઓ માટે હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ હતી. અત્રે યાદ રહે કે, રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલયના વાર્ષિક કાર્યક્રમ મુજબ અને રાજભાષા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ, દમણના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા ગત તા.16મી સપ્‍ટેમ્‍બર, 2022 થી તા.28મીસપ્‍ટેમ્‍બર, 2022 સુધી હિન્‍દી પખવાડાની ઉજવણી થઈ રહી છે. પખવાડા અંતર્ગત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ માટે જુદી જુદી સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. આ સ્‍પર્ધાઓમાં વિજેતા થનાર સ્‍પર્ધકોને હિન્‍દી પખવાડા સમાપ સમારોહ અને પુરસ્‍કાર વિતરણ સમારોહના અવસરે તા.29મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.

Related posts

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના રાજભાષા સચિવ નિખિલ દેસાઈ અને સંયુક્‍ત સચિવ અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સેલવાસમાં ‘હીન્‍દી પખવાડા’નો સમાપન અને પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘કેન્‍દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment