Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

સ્‍પર્ધામાં વિજેતાઓને તા.29મીના ગુરૂવારે પુરસ્‍કારનું વિતરણ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: રાજભાષા વિભાગ, દમણ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગત 16મી સપ્‍ટેમ્‍બરના શુક્રવારે કર્મચારીઓ માટે શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધા રાજભાષા વિભાગ, દમણમાં સવારે 11 વાગ્‍યાથી યોજવામાં આવી હતી. કર્મચારીઓ વર્ગ માટે યોજાયેલી આ સ્‍પર્ધામાં દમણ જિલ્લાના જુદા જુદા કાર્યાલયોના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ કર્મચારીઓએ શબ્‍દાવલી જ્ઞાનમાં પૂછાયેલા શબ્‍દોનો પુરી નમ્રતાથી જવાબો આપ્‍યા હતા. આ અવસરે કર્મચારીઓએ જણાવ્‍યું હતું કે, સ્‍પર્ધાઓમાં ભાગ લેવાથી કંઈક નવા શબ્‍દોને જાણવાનો અવસર મળે છે જેનો કાર્યાલયોમાં પ્રયોગ કરવા માટે મદદરૂપ થાય છે.
બપોરે 3 વાગ્‍યાથી કર્મચારીઓ માટે હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ હતી. અત્રે યાદ રહે કે, રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલયના વાર્ષિક કાર્યક્રમ મુજબ અને રાજભાષા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ, દમણના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા ગત તા.16મી સપ્‍ટેમ્‍બર, 2022 થી તા.28મીસપ્‍ટેમ્‍બર, 2022 સુધી હિન્‍દી પખવાડાની ઉજવણી થઈ રહી છે. પખવાડા અંતર્ગત વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ માટે જુદી જુદી સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. આ સ્‍પર્ધાઓમાં વિજેતા થનાર સ્‍પર્ધકોને હિન્‍દી પખવાડા સમાપ સમારોહ અને પુરસ્‍કાર વિતરણ સમારોહના અવસરે તા.29મી સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.

Related posts

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

Leave a Comment