Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

થોડા સમય પહેલા તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલને સસ્‍પેન્‍ડ કરવા ભાજપ દ્વારા આવેદન આપી કરેલી માંગણીને જાકારો આપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વિધાનસભાની ચૂંટણી આગમન પહેલાં વલસાડ જિલ્લામાં જુદા જુદા રાજકીય રંગ દેખાઈ રહ્યા છે. આજે ગુરૂવારે ધરમપુરમાં તા.પં. સભ્‍ય કલ્‍પેશ પટેલના સમર્થનમાં અને જિ.પં. તથા તા.પં.ના ભાજપના સભ્‍યો માટે વિરોધની લાગણી પ્રગટ કરવા હજારો આદિવાસીઓએ સભ્‍યનો પ્રતિક મૈયત અનેઠાઠડી કાઢી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
ગુજરાત અને વલસાડ જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાઓ નિકળી રહી છે તો બીજી તરફ ધરમપુરના તાલુકા, જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની પ્રતિક ઠાઠડી અને મૈયત હજારો આદિવાસીઓએ કાઢી હતી. ઘટનાના મૂળમાં એવી બાબત રહી છે કે થોડા દિવસ પહેલાં ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે ભાજપ નેતાઓ, સભ્‍યો, સરપંચો દ્વારા ધરમપુર મામલતદારને આવેદન પાઠવ્‍યું હતું તેથી આજે કલ્‍પેશ પટેલના સમર્થનમાં હજારો આદિવાસીઓ બિરસા મુંડા સર્કલ ઉપર એકઠા થઈને રેલી કાઢી મામલતદાર કચેરી પહોંચ્‍યા હતા. આવેદન પાઠવી કલ્‍પેશ પટેલને જાહેરમાં સમર્થન આપ્‍યું હતું તેમજ જણાવ્‍યું હતું કે, ભાજપના તા.પં., જિલ્લા પંચાયતના 18 સભ્‍યો અમારા માટે મરી ગયા છે. આદિવાસી સમાજના હિતમાં કામગીરી નથી કરી રહેલા, જેથી અમોએ આજે તેમની ઠાઠડી યાત્રા કાઢી છે. ધરમપુર, વાંસદા વિસ્‍તારમાં ચૂંટણી લક્ષી અનેક રોજેરોજ કાર્યક્રમોમાં વાસ્‍તવિકતા માત્ર રાજકારણ જ છે.

Related posts

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

એક સમયે દેશ માટે બ્‍લાઇન્‍ડ ટી-20 વર્લ્‍ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્રમાં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્‍યવસ્‍થા કરી શકાશે નહીં

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment