હાઈવે રિપેરીંગ-મેઈટેનન્સ કામ પૂર્ણ નહી કરવા બદલ અધિકારી સૂરજસિંહને 7500 રૂપિયાનો દંડ ફટકારાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: આ વર્ષ ચોમાસા દરમિયાન હાઈવે નં.48 ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા બાદ તેની મરામત અને મેઈટેનન્સ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધિકારી વલસાડ જિલ્લા કલેક્ટરનો રોષનો ભોગ બન્યા હતા.
હાઈવે ઓથોરિટી અધિકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજસિંહએ સમયસર હાઈવે મેઈન્ટેનન્સ નહી કરતા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ અધિકારીને મેઈટેનન્સ કામ પૂર્ણ નહી કરવા બદલ રૂા.7500 નો દંડ ફટકાર્યો હતો.