April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી અને દમણ દીવ પોલીસ દ્વારા સાયલી પોલીસ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનું રવિવારના રોજ ડીઆઈજીની અધ્‍યક્ષતામાં સમાપન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પોર્ટ્‍સ મીટમાં ત્રણે જિલ્લાના 210 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ગૃહ મંત્રાલય દ્વારા 21 ઓક્‍ટોબરથી 31 ઓક્‍ટોબર સુધી પોલીસ સપ્તાહ જાહેર કરવામાં આવ્‍યું હતું. પ્રધાનમંત્રીના નેતૃત્‍વમાં દેશભરમા ફીટ ઈન્‍ડિયા આંદોલન ચાલી રહ્યું છે. દાનહ દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં ત્રણ દિવસીય પોલીસ સ્‍પોર્ટ્‍સ મિટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પોર્ટ્‍સ મીટમાં 15 ઈવેન્‍ટ ઈન્‍ડોરઅને આઉટડોર હતી. જેમાં દાનહ દમણ દીવના 210 પુરુષ અને મહિલા પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પોર્ટ્‍સ મીટનું આયોજનનો ઉદ્દેશ્‍ય સ્‍વસ્‍થ મન, શરીરની ભાવના અને ઉત્‍કૃષ્ટતાના માટે પ્રયાસ કરવા અને પોલીસ કર્મચારીઓ વચ્‍ચે સૌહાર્દની ભાવના પેદા કરવાની હતી. આ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટના સમાપન પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ડીઆઈજી શ્રી મિલિન્‍દ મહાદેઓ દુમ્‍બરે, દાનહ એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, દમણ એસ.પી. શ્રી અમિત શર્મા, દીવ એસ.પી. શ્રી અનુજ કુમાર ઉપસ્‍થિત રહ્યા હતા.
આ સમાપન પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ ડીઆઈજીના હસ્‍તે વિજેતા પોલીસ કર્મચારીઓને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા.

Related posts

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

vartmanpravah

દાનહની પંચાયત સરપંચ અને સભ્‍યની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

vartmanpravah

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment