April 27, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કંપનીઓમાં કામ કરતા કામદારોની સમસ્‍યાઓમાં રોજ-બરોજ વધારો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુતમ વેતન દરોની માહિતી બહાર પાડી છે ત્‍યારથી પ્રદેશની અલગ અલગ કંપનીના કામદારો પગાર વધારાના મુદ્દે હડતાલપર ઉતરી રહ્યા છે. જેમાં રખોલી ખાતેની ભીલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝના કામદારો પણ હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે 26 જેટલા કામદારોને લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કાઢી નોકરમાંથી કાઢી મુકવામાં આવ્‍યા હતા. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા કામદારોને આજે તેમની સમસ્‍યાનો હલ કરવા સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘અટલ ભવન’ સેલવાસ ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલને મળ્‍યા હતા અને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજુઆતમાં કામદારોએ તેમને નોકરી પર પરત લેવા શ્રી સુનિલ પાટીલને ભલામણ કરવા માંગ કરી હતી. આ સંદર્ભે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલે પણ લેબર ઓફિસર સાથે વાતચીત કરી હતી અને તાત્‍કાલિક સમાધાન લાવવા માટે આગ્રહ કર્યો હતો.

Related posts

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્‍તનાબૂદી માટે ઉભો થયેલો જનમત

vartmanpravah

Leave a Comment