Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની ભિલોસા કંપનીના કામદારોને કોન્‍ટ્રાક્‍ટરે નોકરી પરથી કાઢી મુકતા પ્રદેશ ભાજપનું લીધેલું શરણું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કંપનીઓમાં કામ કરતા કામદારોની સમસ્‍યાઓમાં રોજ-બરોજ વધારો થઈ રહ્યો છે. પ્રશાસન દ્વારા જ્‍યારથી લઘુતમ વેતન દરોની માહિતી બહાર પાડી છે ત્‍યારથી પ્રદેશની અલગ અલગ કંપનીના કામદારો પગાર વધારાના મુદ્દે હડતાલપર ઉતરી રહ્યા છે. જેમાં રખોલી ખાતેની ભીલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝના કામદારો પણ હડતાલ પર ઉતર્યા હતા. જેના કારણે 26 જેટલા કામદારોને લેબર કોન્‍ટ્રાક્‍ટર દ્વારા કાઢી નોકરમાંથી કાઢી મુકવામાં આવ્‍યા હતા. કોન્‍ટ્રાક્‍ટર દ્વારા નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલા કામદારોને આજે તેમની સમસ્‍યાનો હલ કરવા સંઘપ્રદેશ ભાજપના પ્રદેશ કાર્યાલય ‘અટલ ભવન’ સેલવાસ ખાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં તેઓ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલ પાટીલને મળ્‍યા હતા અને તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. રજુઆતમાં કામદારોએ તેમને નોકરી પર પરત લેવા શ્રી સુનિલ પાટીલને ભલામણ કરવા માંગ કરી હતી. આ સંદર્ભે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલે પણ લેબર ઓફિસર સાથે વાતચીત કરી હતી અને તાત્‍કાલિક સમાધાન લાવવા માટે આગ્રહ કર્યો હતો.

Related posts

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

કચીગામ પંચાયત વિસ્‍તારનું એક પણ ઘર નળના કનેક્‍શનથી વંચિત નહી રહી જાય તેની તકેદારી લઈ રહેલા સરપંચ અને જિ.પં. સભ્‍ય

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment