September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ઔરંગા નદી પુલ ઉપર કાર પલટી મારી ગઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બુધવાર રાત્રે વલસાડ ઔરંગા નદી પુલ ઉપર ઘટી હતી. વલસાડના નિલેશભાઈ પટેલ તેમની કાર નં.જીજે 15 સીએચ 0207 લઈને ડુંગરીથી વલસાડ આવવા નિકળ્‍યા હતા. કાર ઔરંગા નદી પુલ ઉપર પસાર થતી હતી તે દરમિયાન આગળ જઈ રહેલ રીફલેક્‍ટર કે સાઈડ લાઈટીંગ વગરનું ટ્રેક્‍ટર નદીના પુલ ઉપર જઈ રહ્યું હતું તેનો ખ્‍યાલ અંધારામાં ના આવતા અચાનક ટ્રેક્‍ટરને બચાવવા જતા નિલેશભાઈએ હેવી ટર્ન મારી દેતા કાર પલટી મારી ગઈ હતી. શીર્ષાશન થઈ ગયેલી કારમાં ડ્રાઈવિંગ કરી રહેલા નિલેશભાઈનોચમત્‍કારિક બચાવ થયો હતો. ગ્રામ્‍ય વાહનો ખાસ કરીને ટ્રેક્‍ટર માલિકો ટ્રોલી કે ટ્રેક્‍ટરની પાછળ મોટાભાગે રિફલેક્‍ટર લગાવતા નહી હોવાથી ક્‍યારેક મોટા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા રહે છે.

Related posts

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

vartmanpravah

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

પ્રમુખ ગાર્ડન સોસાયટીમા ગણગૌર ઉત્‍સવમાં છવાયો રાજસ્‍થાની લોકરંગ

vartmanpravah

Leave a Comment