(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બુધવાર રાત્રે વલસાડ ઔરંગા નદી પુલ ઉપર ઘટી હતી. વલસાડના નિલેશભાઈ પટેલ તેમની કાર નં.જીજે 15 સીએચ 0207 લઈને ડુંગરીથી વલસાડ આવવા નિકળ્યા હતા. કાર ઔરંગા નદી પુલ ઉપર પસાર થતી હતી તે દરમિયાન આગળ જઈ રહેલ રીફલેક્ટર કે સાઈડ લાઈટીંગ વગરનું ટ્રેક્ટર નદીના પુલ ઉપર જઈ રહ્યું હતું તેનો ખ્યાલ અંધારામાં ના આવતા અચાનક ટ્રેક્ટરને બચાવવા જતા નિલેશભાઈએ હેવી ટર્ન મારી દેતા કાર પલટી મારી ગઈ હતી. શીર્ષાશન થઈ ગયેલી કારમાં ડ્રાઈવિંગ કરી રહેલા નિલેશભાઈનોચમત્કારિક બચાવ થયો હતો. ગ્રામ્ય વાહનો ખાસ કરીને ટ્રેક્ટર માલિકો ટ્રોલી કે ટ્રેક્ટરની પાછળ મોટાભાગે રિફલેક્ટર લગાવતા નહી હોવાથી ક્યારેક મોટા ગમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે.
Next Post