Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઉમેદવારી પત્રક ભરવા પહેલાં દાનહ અનેદમણ-દીવમાં પ્રારંભિક તબક્કે ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ દમણ-દીવમાં 2019ની થિયરી રિપિટ થવાની અટકળ

લોકસભા સહિતની કોઈપણ ચૂંટણીમાં જ્‍યાં સુધી અપક્ષ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે નહીં ત્‍યાં સુધી અપક્ષ ઉમેદવાર તરીકે માન્‍યતા મળતી નથી

હવે પછીના દિવસો સંઘપ્રદેશ માટે ઉત્તેજના અને રોમાંચના રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બે લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. જ્‍યારે દાદરા નગર હવેલી બેઠકમાં ભારત ટ્રાઈબલ પાર્ટીએ પણ પોતાનો ઉમેદવાર ઘોષિત કર્યો છે.
લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠક માટે તા.7મી મે ના રોજ મતદાન યોજાવાનું છે અને ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ 12મી એપ્રિલથી થઈ રહ્યો છે. દમણ અને દીવ બેઠક માટે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાના હોવાનો દાવો શ્રી ઉમેશભાઈ પટેલ કરી રહ્યા છે. જ્‍યાં સુધી ચૂંટણીનું ઉમેદવારી પત્રક નહીં ભરવામાં આવે ત્‍યાં સુધી અપક્ષ તરીકે ચૂંટણી લડવા ઈચ્‍છતા ઉમેદવારને માન્‍યતા મળતી નથી. પરંતુ દમણ અને દીવ બેઠક માટે શ્રી ઉમેશભાઈ પટેલ એક અપક્ષ ઉમેદવાર હોવાનું માનવામાં આવે છે અને તેમણે 2019ની ચૂંટણીમાંપણ અપક્ષ તરીકે ઝૂકાવી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ઉંઘ હરામ કરી હતી.
દાદરા નગર હવેલી બેઠક માટે ભાજપ તરફથી શ્રીમતી કલાબેન ડેલકરના નામની જાહેરાત થયા બાદ હમણાં કોંગ્રેસે પૂર્વ સાંસદ સ્‍વ. રામજીભાઈ માહલાના શિક્ષિત પુત્ર એવા શ્રી અજીતભાઈ માહલાના નામની ઘોષણા કરતા જંગ રસપ્રદ બનશે એવું અનુમાન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
દમણ અને દીવ બેઠક માટે મોટાભાગે 2019નું ચિત્ર ઉભરવાની સંભાવના છે, ભાજપ તરફથી શ્રી લાલુભાઈ પટેલને ચોથી ટર્મ માટે ઉમેદવાર બનાવાયા છે ત્‍યારે સતત બે ટર્મથી હારેલા શ્રી કેતનભાઈ પટેલ ઉપર કોંગ્રેસે ફરી વિશ્વાસ મુકી તેમને ટિકિટ આપી છે અને અપક્ષ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલ પણ લડવા તત્‍પર છે. તેથી આ વખતે પણ 2019ની માફક ત્રિપાંખિયો જંગ જામશે એવી અટકળો વ્‍યક્‍ત થઈ રહી છે.
આગામી શુક્રવારથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થશે. તેથી હવે પછીના સપ્તાહો દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ઉત્તેજનાના રહેશે એમાં કોઈ સંદેહ નથી.

Related posts

મજીગામ-સમરોલીની હદમાં કાલાખાડી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર નાંખેલા આડેધડ કચરા ઢગલાને સમરોલી ગ્રામ પંચાયતે ખસેડયો

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

vartmanpravah

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment