Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

વર્તમાન ચાલી રહેલા પ્રોજે્‌કટ અંગે ડી.જી.સી.એલ., જી.આઈ.ડી.સી., હાઈવેના ઉચ્‍ચ અધિકારી, વી.આઈ.એ.ના હોદ્દેદારો સાથે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.14: વાપીમાં અત્‍યારે અડધો ડઝનથી પણ વધારે વિવિધ વિકાસ કાર્યોના પ્રોજેક્‍ટ કાર્યરત છે. આ પ્રોજેક્‍ટમાં અડચણરૂપ બાબતોને નિવારવા-ચકાસણી માટે ગાંધીનગરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચ રિવ્‍યુ બેઠક યોજાઈ હતી.
ગાંધીનગરમાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વાપી-સેલવાસ આર.સી.સી. રોડની કામગીરી 30મે પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સી.ઈ.ટી.પી.થી દમણગંગા દરિયા સુધી પાઈપલાઈન જગ્‍યાની શોધ, હાલ ચાલી રહેલા વાપીના પ્રોજેક્‍ટમાં વિજળી, ટેલીફોન, ગેસ લાઈન, મોબાઈલ ટાવરની લાઈનો હટાવીને પુલની કામગીરીને વેગ આપવા જેવી બાબતો સહિત વાપીની ટ્રાફીક સમસ્‍યાના ઉકેલ દિશામાં ખાસ કરીને હાઈવે ઓવરબ્રિજના ગાળાઓમાં ફેન્‍સીંગ તોડી પાર્કીંગ સુવિધા ઉભી કરવા જેવા રિવ્‍યુ બેઠકમાં નિર્ણય લેવાયા હતા. મિટિંગમાં જી.આઈ.ડી.સી. વી.સી.એમ.ડી. ડો.રાહુલ ગુપ્તા, આઈએએસ નરેન્‍દ્ર ગુપ્તા, મીના તથા વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, નોટી ફાઈડ ચેરમેન સતિષ પટેલ, યોગેશ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, ઉપસ્‍થિત રહ્યા હતા. નોટીફાઈડ પોલીસ સાથે મળીને વાપીની ટ્રાફિક સમસ્‍યા ઉકેલશે તેવું મિટિંગમાં નક્કી કરાયું હતું.

Related posts

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ઉદવાડા-પરિયાના આધાર ટ્રસ્‍ટ ખાતે ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

દમણ ન.પા.ના ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિએ નવરાત્રિના નવમા દિવસે કથિરિયા આંગણવાડી ખાતે કરેલું કન્‍યા પૂજન

vartmanpravah

Leave a Comment