June 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

વર્તમાન ચાલી રહેલા પ્રોજે્‌કટ અંગે ડી.જી.સી.એલ., જી.આઈ.ડી.સી., હાઈવેના ઉચ્‍ચ અધિકારી, વી.આઈ.એ.ના હોદ્દેદારો સાથે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.14: વાપીમાં અત્‍યારે અડધો ડઝનથી પણ વધારે વિવિધ વિકાસ કાર્યોના પ્રોજેક્‍ટ કાર્યરત છે. આ પ્રોજેક્‍ટમાં અડચણરૂપ બાબતોને નિવારવા-ચકાસણી માટે ગાંધીનગરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉચ્‍ચ રિવ્‍યુ બેઠક યોજાઈ હતી.
ગાંધીનગરમાં યોજાયેલ રિવ્‍યુ બેઠકમાં ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વાપી-સેલવાસ આર.સી.સી. રોડની કામગીરી 30મે પહેલાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સી.ઈ.ટી.પી.થી દમણગંગા દરિયા સુધી પાઈપલાઈન જગ્‍યાની શોધ, હાલ ચાલી રહેલા વાપીના પ્રોજેક્‍ટમાં વિજળી, ટેલીફોન, ગેસ લાઈન, મોબાઈલ ટાવરની લાઈનો હટાવીને પુલની કામગીરીને વેગ આપવા જેવી બાબતો સહિત વાપીની ટ્રાફીક સમસ્‍યાના ઉકેલ દિશામાં ખાસ કરીને હાઈવે ઓવરબ્રિજના ગાળાઓમાં ફેન્‍સીંગ તોડી પાર્કીંગ સુવિધા ઉભી કરવા જેવા રિવ્‍યુ બેઠકમાં નિર્ણય લેવાયા હતા. મિટિંગમાં જી.આઈ.ડી.સી. વી.સી.એમ.ડી. ડો.રાહુલ ગુપ્તા, આઈએએસ નરેન્‍દ્ર ગુપ્તા, મીના તથા વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, નોટી ફાઈડ ચેરમેન સતિષ પટેલ, યોગેશ કાબરીયા, મિલનભાઈ દેસાઈ, ઉપસ્‍થિત રહ્યા હતા. નોટીફાઈડ પોલીસ સાથે મળીને વાપીની ટ્રાફિક સમસ્‍યા ઉકેલશે તેવું મિટિંગમાં નક્કી કરાયું હતું.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી યુપીએલ બ્રિજ નજીક એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે રૂા.2.75 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ આઈશર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

દાનહઃ દૂધની ખાતેની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘‘લાઈફ સ્‍કીલ” થીમ આધારિત વર્કશોપ યોજાયો

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ સંઘપ્રદેશમાં રાષ્‍ટ્ર પ્રેમ, દેશદાઝ સાથે ખેલદિલી આનંદ-ઉત્‍સવનો પ્રસંગ

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment