April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

હોસ્‍પિટલને હુબર ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ અપાયુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અનેક મહિલાઓ બ્રેસ્‍ટ કેન્‍સરથી પિડાતી હોય છે જેની સારવાર અને નિદાન માટે વાપીની જનસેવા હોસ્‍પિટલમાં અધ્‍યતન ટેકનોલોજી સજ્જ મેમોગ્રાફી મશીનનું આજે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું તેમજ 15 માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાનની જાહેરાત પણ કરાઈ હતી.
જનસેવા હોસ્‍પિટલને જાણીતી હુબર કંપનીએ સી.એસ.આર. હેઠળ શિક્ષણ અને સામાજીક આરોગ્‍ય યોગદાન માટે આજે અધ્‍યતન ટેકનોલોજી સજ્જ મેમોગ્રાફી મશીન ભેટ આપ્‍યુ છે. તેમજ હોસ્‍પિટલ તરફથી આગામી 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન કરવામાં આવશે તેવી આ પ્રસંગે જાહેરાત પણ કરી હતી.
હોસ્‍પિટલમાં યોજાયેલ ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં હુબર ગૃપના મેનેજિંગ ડિરેક્‍ટર ભારત-પ્રેસિડેન્‍ટ સુરેશ કાલરાએ જણાવ્‍યું હતું કે, હુબર ગૃપ સી.એસ.આર. દ્વારા અનેક સામાજીક સેવાની કામગીરી અવિરત કરતું રહે છે.તેના ભાગ રૂપે જનસેવા હોસ્‍પિટલને ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્‍યું છે. જ્‍યાં જ્‍યાં આરોગ્‍ય લગતી સેવા હોય ત્‍યાં ગૃપ તેમની પડખે રહે છે. કોવિદમાં જનસેવાએ નોંધનીય સેવા બજાવી હતી. આ પ્રસંગે હોસ્‍પિટલ પ્રસંગે હોસ્‍પિટલ ટ્રસ્‍ટી નિમેશ વશીએ જણાવ્‍યું હતું કે, મેમોગ્રાફી મશીનબ્રેસ્‍ટ કેન્‍સર નિદાન અને વહેલી સારવાર કરી શકાય તેવું ઉપકરણ છે. ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઈ.એસ.આઈ.સી. હોસ્‍પિ. સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.સંજય વંશ, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કે.પી. પટેલ, હોસ્‍પિટલના મેડિકલ સુપ્રિટેન્‍ડન્‍ટ ડો.લોકેશ ઠક્કર સહિત તબીબો, પેરામેડિકલ સ્‍ટાફ અને ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી સમયે આયુષ્‍યમાન યોજનામાં બ્રેસ્‍ટ કેન્‍સર સારવાર અંગે સમાવેશ કરવાની તજવીજ હાથ ધરાશે. બીજું વાર્ષિક 600 રૂા. ભરીને બ્રેસ્‍ટ કેન્‍સર નિદાન પણ કરાવી શકાશે.

Related posts

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment