નરેશ રવજીભાઈ પટેલના આંબાવાડિયામાં ઘણા દિવસથી ગ્રામજનોને ખુંખાર દિપડો રોજ દેખાતો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વલસાડ નજીક આવેલ રાબડા ગામે છેલ્લા કેટલાક દિવસોથી આંબાવાડીયામાં ખુંખાર દિપડો આંટાફેરા મારી રહેલો સ્થાનિક ગ્રામજનો જોતા હતા તેથી ગામમાં ભયની દહેશત ફેલાતી રહેલી. અંતે ગતરાતો જંગલ વિભાગે મુકેલા પાંજરામાં દિપડો આબાદ રીતે ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડ તાલુકાના રાબડા ગામે બ્રાહ્મણ ફળીયામાં રહેતા નરેશ રવજીભાઈ પટેલની આંબાવાડીમાં ખુંખાર દિપડો વારંવાર દેખાતો હતો તેથી ગામમાં ભયનો માહોલ છવાતો રહેલોતેથી સરપંચશ્રીએ વન વિભાગને દિપડા અંગે ફરિયાદ કરી હતી. વન વિભાગએ નરેશ પટેલના આંબાવાડીયામાં દિપડો પકડવા પાંજરું ગોઠવી દીધુ હતું. મંગળવારે રાતે ખુંખાર દિપડો પાંજરામાં આબાદ રીતે પુરાઈ ગયો હતો તેથી ગ્રામજનો દિપડાને જોવા રાતે જ ઉમટી પડયા હતા. આજે સવારે વન વિભાગનો સ્ટાફ રાબડા આવીને પાંજરુ લઈ ગયો હતો. ચણવઈ ફોરેસ્ટ વિભાગમાં દિપડાની તપાસ કરીને જંગલમાં છોડવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી.