January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: દરેક વ્યક્તિ યોગ અને ધ્યાન કરી તનાવ મુક્ત રહે એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત પ્રયાસથી તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ ધરમપુર રોડ પર સ્થિત આરપીએફ મેદાન પર તા. ૨૬ માર્ચે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા માટે યોગ બોર્ડની લીંક https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનનું સર્ટિફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમાં યોગના આસનો અને પ્રાણાયામ કરાવાશે ત્યાર બાદ ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો મો.નં. ૮૧૬૦૨૬૧૨૦૨ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

અમરેલી જિલ્લા ભાજપ આગેવાન ડો. ભરતભાઈ કાનાબારના નેતૃત્‍વમાં પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લાની લીધેલી મુલાકાતઃ વિકાસ નિહાળી દિગ્‍મૂઢ

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

Leave a Comment