December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: દરેક વ્યક્તિ યોગ અને ધ્યાન કરી તનાવ મુક્ત રહે એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત પ્રયાસથી તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ ધરમપુર રોડ પર સ્થિત આરપીએફ મેદાન પર તા. ૨૬ માર્ચે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા માટે યોગ બોર્ડની લીંક https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનનું સર્ટિફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમાં યોગના આસનો અને પ્રાણાયામ કરાવાશે ત્યાર બાદ ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો મો.નં. ૮૧૬૦૨૬૧૨૦૨ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment