April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: દરેક વ્યક્તિ યોગ અને ધ્યાન કરી તનાવ મુક્ત રહે એવા શુભ આશય સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત પ્રયાસથી તમામ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ વલસાડ ધરમપુર રોડ પર સ્થિત આરપીએફ મેદાન પર તા. ૨૬ માર્ચે રવિવારે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે. જેમાં ભાગ લેવા માટે યોગ બોર્ડની લીંક https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાનનું સર્ટિફિકેટ આપવામાં આવશે. કાર્યક્રમમાં શરૂઆતમાં યોગના આસનો અને પ્રાણાયામ કરાવાશે ત્યાર બાદ ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો મો.નં. ૮૧૬૦૨૬૧૨૦૨ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની થયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

vartmanpravah

Leave a Comment