(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ હતું. જેમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના 18 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રિયાન્સીકુમારી નિલેશભાઈ પટેલ સમગ્ર તાલુકામાં ત્રીજો ક્રમ તથા જૈનિલ સુભાષભાઈ પટેલ સમગ્ર વાપી તાલુકામાં પાંચમાં ક્રમ સાથે ઉત્તીર્ણ થઈમેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી ઉત્કળષ્ટ દેખાવ કર્યો છે.
સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પૂ.કપિલ સ્વામીજી, ડાયરેક્ટર શ્રી ડો.શૈલેષભાઈ લુહાર, શ્રી હિતેન ઉપાધ્યાય, આચાર્યા ચંદ્રવદન પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.