(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી,તા.30: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડની પૂર્ણાહુતિ નિમિત્તે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં ખાસ સ્ક્રીનિંગની વ્યવસ્થા ગોઠવવા આવી હતી. આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રીડી.એ.સત્યા અને મોટી સંખ્યામાં સ્થાનિક યુવાઓ, યુવતિઓ, મહિલા તથા બાળકોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના પ્રિય કાર્યક્રમ એવા ‘મન કી બાત’ના 100મા એપિસોડને સાંભળ્યો હતો.