October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા નવા કાયદાઓની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ

દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. ચેતન પટેલે ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દેશમાં 1લી જુલાઈ, 2024થી અમલમાં આવેલ નવા ત્રણ કાયદાઓની જાણકારી માટે આજે મોટી દમણ પોલીસ સ્‍ટેશન દ્વારા દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું.
પ્રારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બ્રિટિશ કાળથી ચાલી રહેલ ઈન્‍ડિયન પીનલ કોડ(આઈપીસી)ની જગ્‍યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્‍યાય સંહિતાની બાબતમાં પ્રાથમિક જાણકારી આપી હતી અને મોટી દમણ કોસ્‍ટલ પોલીસ દ્વારા આયોજીત કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો.
મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, બ્રિટિશ કાળથી ચાલી આવતા ત્રણ કાયદાઓ આઈ.પી.સી., સી.આર.પી.સી. અને ઈન્‍ડિયન એવીડન્‍સ એક્‍ટની જગ્‍યાએ ભારત સરકાર દ્વારા આજથી નવા ત્રણ કાયદાઓ ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્‍યો છે. બ્રિટિશ કાળ દરમિયાન તેમના કાયદાઓમાં દંડની પ્રાથમિકતા હતી. જ્‍યારે હવે લોકોને ન્‍યાય મળે તે માટે પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે.
પી.એસ.આઈ. શ્રી ચેતન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, સગીર સાથેના અપરાધમાં હવે લીંગનો ભેદ દૂર કરવામાં આવ્‍યો છે અને જો કોઈ સગીર કિશોર સાથે દુષ્‍કર્મ કરવામાં આવે તો તે કિશોરી સાથેના અપરાધ જેટલો જ ગંભીર ગુનો ગણવામાં આવ્‍યો છે. હવે સમયમર્યાદામાં ન્‍યાય મળે એવી પણ વ્‍યવસ્‍થા કરાઈ છે.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, દમણવાડા સલાહકાર સમિતિના સભ્‍ય શ્રીમતીજોશીલાબેન બારી સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલના નેતૃત્‍વમાં સ્‍ટાફે ભારે મહેનત કરી હતી.

Related posts

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એન. આર. અગ્રવાલજીની પુણ્‍યતિથિ નિમિતે સરીગામ અને વાપી ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ આયોજન કરાયું : 715 બોટલ રક્‍ત એકત્રિત કરી માનવસેવાનું રજૂ કરેલું દ્રષ્ટાંત

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

મસાટથી માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પો ચોરીના ચાર આરોપીની દાનહ પોલીસે કરી ધરપકડ

vartmanpravah

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

‘તોક્‍તે’ વાવાઝોડા બાદ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરાયેલા વર્મી કમ્‍પોસ્‍ટ પ્‍લાન્‍ટનું આજે એક વર્ષ પૂર્ણ

vartmanpravah

Leave a Comment