-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશથી સમગ્ર સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગે બતાવેલી પોતાની કાર્યક્ષમતા
-
સમગ્ર સંઘપ્રદેશમાં લગભગ 40,839 કિશોર-કિશોરીઓનું અભિયાન દરમિયાન થયેલું ટીકાકરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 થી 18 વર્ષની વયજૂથની કિશોરો-કિશોરીઓ માટે રસીકરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં યુવાઓ અને યુવતીઓના હિતમાં લેવામાં આવેલ પ્રધાનમંત્રીશ્રી કોવિડ-19 ટીકાકરણ (1પથી 18 વર્ષ) નિર્ણય હેઠળ દરેક જગ્યાએ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને ગત તારીખ 10/01/2022ના રોજ, દીવ જિલ્લામાં આ અભિયાન હેઠળ 100 ટકા રસીકરણ થઈ ગયું હતું અને દમણ જિલ્લામાં પણ તા. 13/01/20રરના રોજ 100 ટકા રસીકરણ થયું હતું. જ્યારે તા.17/01/2022ના રોજ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં દમણ-દીવની સાથે સાથે આજે દાદરા નગર હવેલીએ પણ 100 ટકા ટીકાકરણ કરી લીધું છે. આ અભિયાન અંતર્ગત દમણ-દીવ બાદ હવે દાદરા નગર હવેલીમાં પણ તમામ 1પ થી 18 વર્ષની વય જૂથમાં આવતા તમામ કિશોર-કિશોરીઓનું કોવિડ-19નો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આ ટીકાકરણ અભિયાન અંતર્ગત સમગ્ર સંઘપ્રદેશમાં ટીકાકરણ થઈ ચુક્યું છે. આ ટીકાકરણ અભિયાન અંતર્ગત દમણમાં 1ર,994, દીવમાં 3417 અને દાદરા નગર હવેલીમાં 24428 એમ કુલ મળી સંઘપ્રદેશમાં કુલ 40,839 કિશોર-કિશોરીઓને રસી આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ધ્યેય હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા-વાલીઓ, શાળાઓના પ્રધાનાચાર્યો અને આચાર્યો દરેકને રસીકરણ અંગે જાગળત કર્યા છે ત્યારે આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓએપણ ભારે જહેમત ઉઠાવી છે.
સંઘપ્રદેશના દરેક વિદ્યાલયમાં આરોગ્યકર્મીઓ જઈને સુનિヘતિ કરતા હતા કે દરેક કિશોર-કિશોરીઓને રસીનો ડોઝ મળ્યો છે કે નહી. જેમાં શાળાના શિક્ષક ગણ અને અન્ય કર્મચારીઓનો સહકાર પણ જરુરી હતો. આ અભિયાનમાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગે મહત્વની ભૂમિકા ભજવી છે.