Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની લીધેલી મુલાકાત : ગામના સરપંચો સાથે બેઠક કરી માછીમારોને દરિયામાં ન જવા માટે કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: આગામી 24 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે એ પહેલાં જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં છે. કોસ્‍ટગાર્ડ અને એન.ડી.આર.એફ.ની ટીમો વલસાડના તટીય વિસ્‍તચારમાં તહેનાત થઈ પોઝિશન સંભાળી લીધી હતી. આ વાવાઝોડા સંદર્ભે પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તિથલ ગામના સરપંચ રાકેશ પટેલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી જરૂરી તાગ મેળવ્‍યો હતો.
હવામાન વિભાગે રવિવારે જણાવ્‍યું હતું કે, 15 જૂન બપોર સુધી ગંભીર ચક્રવાતી રૂપ ધારણ કરી શકે છે. ચક્રવાતી તોફાન પોરબંદરથી 600 કી.મી. દૂર છે. તે નલીયા, કચ્‍છમાંથી પસાર થવાની સંભાવના છે. 13 થી 15 જૂન દરમિયાન 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરમિયાનઅરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્‍ટગાર્ડ ગુજરાત દમણ-દીવના માછીમારોને નાવિકોને સાવચેતી અને સલામતિના પગલાંની સલાહ આપી છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, સંભવિત વાવાઝોડને લઈને સરકાર કટિબ્‍ધ્‍ધ છે. તમામ લોકોએ સુરક્ષા જાળવવી જોઈએ. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. કોઈ પણ બાબતને સહેલાઈથી લેવી ન જોઈએ. વાવાઝોડુ હજુ પણ સક્રિય હોવાથી જવાબદાર નાગરિક તરીકે સાવચેતીના પગલા લેવા જરૂરી છે એમ જણાવી માછીમારોને દરીયામાં ન જવા માટે સાવચેત કર્યા હતા. સાથો સાથ ઉપસ્‍થિત ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને સ્‍થિતિ અંગે વાકેફ કર્યા હતા. પરિસ્‍થિતિના અવલોકન વેળા ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય જીતુ ચૌધરી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બ્‍લોક ડેવલોપમેન્‍ટ સ્‍ટ્રેટેજી અંગે મુસદ્દો તૈયાર કરાયો

vartmanpravah

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

vartmanpravah

Leave a Comment