Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

હરિયાણા ભિવાની પરનામી આશ્રમ પ્રમુખ સ્‍વામિ સદાનંદજીની નિશ્રામાં સેન્ટોસા સીટીમાં કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: તપસ્‍યાથી જ દરેક પ્રકારની સિધ્‍ધિઓ પ્રાપ્ત થાય છે. તપસ્‍યા વગરની મળેલી સફળતા પાણીના પરપોટા જેવી છે. સિધ્‍ધિ પ્રાપ્ત કરી સદ્દઉપયોગ કરનાર યશનો ભાગીદાર બને છે. જેનુ શ્રેષ્‍ઠ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી છે. ગરીબ ઘરમાં જન્‍મીને તપસ્‍યાના બળ ઉપર આજે ભારત માતાની ગરીમા દેશ અને દુનિયામાં વધારી રહ્યા છે. રવિવારે ડુંગરા વાપી સેન્‍ટોસા સીટીમાં આયોજીત સત્‍સંગ કાર્યક્રમમાં પ્રવચન આપતા હરિયાણા ભિવાની સ્‍થિત પરનામી આશ્રમના પ્રમુખ સ્‍વામી સદાનંદજીની નિશ્રામાં યોજાયેલ સત્‍સંગ કાર્યક્રમમાં ઉચ્‍ચાર્યા હતા.
આગામી ઓક્‍ટોમ્‍બરમાં વાપીમાં આયોજીત થનાર ભાગવત સપ્તાહના ઉપલક્ષમાં સત્‍સંગ કાર્યક્રમ યોજાયો હતો. સ્‍વામિ સદાનંદજીએ દશ વર્ષ સેનામાં સેવા આપી દેશ સેવા બાદ નિવૃત્તિ લઈને ધર્મ અને સમાજ સેવા માટે ભ્રહ્મચર્ય વ્રત લઈ સન્‍યાસ ગ્રહણ કર્યો છે.તેઓ અત્‍યાર સુધી એક લાખ પોલીયો ગ્રસ્‍ત દર્દીઓનો ઈલાજ કરાવી ચૂક્‍યા છે. સમાજ સેવા હેતુ વાપીમાં ભાગવત કથાનું આગામી ઓક્‍ટોમ્‍બરે આયોજન થનાર છે તેની તૈયારીઓનો આરંભ શરૂ થઈ ચૂક્‍યો છે. સત્‍સંગ કાર્યક્રમમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળના ટ્રસ્‍ટી, બી.કે. દાયમા, પાલિકા શાસકપક્ષ નેતા નિલેશ ભંડારી, વિ.પ્ર. ફાઉન્‍ડેશન યુવા મંચ પ્રદેશ સંગઠન મંત્રી સુનિલ શર્મા સહિત ગણમાન્‍ય લોકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં બુધવારે દેવકાના ‘નમો પથ’ ઉપર સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં 4000 કરતા વધુ લોકો યોગ સાધના કરશે

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

vartmanpravah

Leave a Comment