July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

હરિયાણા ભિવાની પરનામી આશ્રમ પ્રમુખ સ્‍વામિ સદાનંદજીની નિશ્રામાં સેન્ટોસા સીટીમાં કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: તપસ્‍યાથી જ દરેક પ્રકારની સિધ્‍ધિઓ પ્રાપ્ત થાય છે. તપસ્‍યા વગરની મળેલી સફળતા પાણીના પરપોટા જેવી છે. સિધ્‍ધિ પ્રાપ્ત કરી સદ્દઉપયોગ કરનાર યશનો ભાગીદાર બને છે. જેનુ શ્રેષ્‍ઠ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી છે. ગરીબ ઘરમાં જન્‍મીને તપસ્‍યાના બળ ઉપર આજે ભારત માતાની ગરીમા દેશ અને દુનિયામાં વધારી રહ્યા છે. રવિવારે ડુંગરા વાપી સેન્‍ટોસા સીટીમાં આયોજીત સત્‍સંગ કાર્યક્રમમાં પ્રવચન આપતા હરિયાણા ભિવાની સ્‍થિત પરનામી આશ્રમના પ્રમુખ સ્‍વામી સદાનંદજીની નિશ્રામાં યોજાયેલ સત્‍સંગ કાર્યક્રમમાં ઉચ્‍ચાર્યા હતા.
આગામી ઓક્‍ટોમ્‍બરમાં વાપીમાં આયોજીત થનાર ભાગવત સપ્તાહના ઉપલક્ષમાં સત્‍સંગ કાર્યક્રમ યોજાયો હતો. સ્‍વામિ સદાનંદજીએ દશ વર્ષ સેનામાં સેવા આપી દેશ સેવા બાદ નિવૃત્તિ લઈને ધર્મ અને સમાજ સેવા માટે ભ્રહ્મચર્ય વ્રત લઈ સન્‍યાસ ગ્રહણ કર્યો છે.તેઓ અત્‍યાર સુધી એક લાખ પોલીયો ગ્રસ્‍ત દર્દીઓનો ઈલાજ કરાવી ચૂક્‍યા છે. સમાજ સેવા હેતુ વાપીમાં ભાગવત કથાનું આગામી ઓક્‍ટોમ્‍બરે આયોજન થનાર છે તેની તૈયારીઓનો આરંભ શરૂ થઈ ચૂક્‍યો છે. સત્‍સંગ કાર્યક્રમમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળના ટ્રસ્‍ટી, બી.કે. દાયમા, પાલિકા શાસકપક્ષ નેતા નિલેશ ભંડારી, વિ.પ્ર. ફાઉન્‍ડેશન યુવા મંચ પ્રદેશ સંગઠન મંત્રી સુનિલ શર્મા સહિત ગણમાન્‍ય લોકો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ-ભરડામાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં શ્રેય ઈલેવન ચેમ્‍પિયન, રનર્સઅપ તરીકે જલારામ ઈલેવનઃ બંને ટીમોને રોકડ તથા ટ્રોફિ એનાયત કરાઈ

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

Leave a Comment