October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રમુખ અને હોદ્દેદારોની ચૂંટણીનું સમય પત્રક જાહેરઃ 4થી ઓગસ્‍ટે યોજાનારી ચૂંટણી

  • લોકસભાની ચૂંટણી પણ નજીકમાં હોવાથી રાજકીય સૂઝબૂઝ ધરાવતા અને પ્રશાસનના પ્રીતિપાત્ર ઉદ્યોગપતિને ડીઆઈએના પ્રમુખ તરીકે વરણી કરવા પણ બની રહેલો મત
  • 2016 સુધી ડીઆઈએની રહેલી કઠપૂતળી જેવી સ્‍થિતિઃ દાભેલનું રહેલું વર્ચસ્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને અન્‍ય હોદ્દેદારોની ચૂંટણી માટેના સમય પત્રકની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી તા.4થી ઓગસ્‍ટના રોજ યોજાનારી ખાસ સામાન્‍ય સભામાં પ્રમુખ અને અન્‍ય પદાધિકારીઓ તથા કારોબારી સમિતિની ચૂંટણી કરવામાં આવશે.
ડી.આઈ.એ.એ જાહેર કરેલ ચૂંટણીના સમય પત્રક મુજબ 15મી જુલાઈ સુધી નામાંકન પત્ર દાખલ કરી શકાશે. 18મી જુલાઈએ ડી.આઈ.એ.ના નોટિસ બોર્ડ ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરાશે. 25મી જુલાઈ સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે. એક પદ ઉપર એકથી વધુ વ્‍યક્‍તિઓની ઉમેદવારી કરવાની સ્‍થિતિમાં 4 ઓગસ્‍ટે ડી.આઈ.એ.ની 44મી વાર્ષિક સામાન્‍ય સભામાં ડી.આઈ.એ. સભ્‍યો ચૂંટણીના માધ્‍યમથી પ્રમુખ સહિત પદાધિકારીઓ તથા કારોબારી સમિતિના સભ્‍યોને ચૂંટશે.
અત્રે નોંધનીય છે કે,2024નું વર્ષ લોકસભાની ચૂંટણીનું હોવાથી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખની ભૂમિકા ખુબ જ મહત્‍વપૂર્ણ અને રાજનીતિની દૃષ્‍ટિએ નિર્ણાયક રહેતી હોય છે. તેથી ડી.આઈ.એ.નો પ્રમુખ દરેક પ્રકારના ભાર ઝીલી શકવા સક્ષમ હોવો જરૂરી છે.
2016 સુધી ડી.આઈ.એ.ની સ્‍થિતિ કઠપૂતળી જેવી હતી. મોટાભાગના દાભેલ વિસ્‍તારના રાજકારણીઓની સીધી પકડ ડી.આઈ.એ. ઉપર હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ ઉદ્યોગગૃહો પાસે અસરકારક રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી (સી.એસ.આર.)ના શરૂ કરાવેલા અમલ બાદ સ્‍થિતિમાં ઘણો સુધારો આવ્‍યો છે. તેથી દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને તેમની ટીમની પસંદગી ઉપર પણ ઘણો મદાર રહેતો હોય છે.
મળતી માહિતી પ્રમાણે દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન આ વખતે પ્રમુખ પદનું સુકાન અનુભવી અને રાજકીય રીતે સક્રિય તથા પ્રશાસનમાં પણ પોતાની સારી છાપ ધરાવતા ઉદ્યોગપતિને આપશે એવી આબોહવા દેખાઈ રહી છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના 6 આરોપી અને એક રીસીવરની કરવામાં આવી ધરપકડ

vartmanpravah

Leave a Comment