October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : ચોમાસા દરમિયાન માખી, મચ્‍છરોના ઉપદ્રવ અને તેનાથી ફેલાતા રોગચાળાને અટકાવવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીના દિશા-નિર્દેશમાં ચીફ ઓફિસર નેતૃત્‍વમાં શહેરી વિસ્‍તારમાં ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીઓ નહીં ફેલાઈ તે માટે ફોંગીગ કરી તથા બ્રીડીંગ સાઈટના ડિસ્‍ક્રશન માટે દવાના છંટકાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દવા છંટકાવની કામગીરી દરમિયાન પાલિકા તંત્રના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ તથા દુકાનો, મહોલ્લા અનેરોડ સાઈડમાં ગંદકીનો ઉપદ્રવ કરવામાં આવી રહ્યો છે. લોકો સોસાયટીઓ, ચાલીઓ, રૂમો તથા દુકાનોની આજુબાજુ કચરો ફેંકી દે છે જેનાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે અને પાણીનો જમાવ થાય છે. જેનાથી મેલેરિયા, ડેંગ્‍યુ, ટાઈફોડ જેવી બીમારીઓને ફેલાવનાર મચ્‍છરોની સંખ્‍યામાં વૃદ્ધિ થાય છે આ મચ્‍છરો દ્વારા માણસોને ડંખ મારવાથી બીમારીઓ ફેલાય છે. તેથી લોકો પોતાની સોસાયટીમાં અથવા દુકાન કે રહેણાંક વિસ્‍તારની આજુબાજુ કે કોપણ જગ્‍યાએ કચરો ન ફેંકે અને પાણીનો જમાવ થવા ન દે. ઘરની અંદર ફુલદાનીમાં, કુલર/ફ્રિજમાં અથવા અન્‍ય જગ્‍યા પર પણ પાણી જમા થવા દેવું નહીં.

Related posts

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની સ્‍થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

ખારીવાડી નાની દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવઃ સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગના સચિવ અસગર અલીએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

Leave a Comment