March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

  • સંઘપ્રદેશ પ્રશાસનના મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્‍ય વિભાગ અને નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટના સહિયારા પ્રયાસથી ગર્ભાવસ્‍થા, શૈશવ, બાળપણ અને કિશોરાવસ્‍થામાં કુપોષણના સંદર્ભમાં શરૂ કરેલું જાગૃતિ અભિયાન
  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ આરોગ્‍ય સચિવ ડો. અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમન બ્રહ્મા અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં સામુદાયિક આરોગ્‍ય વિભાગ, નમો મેડિકલ અને એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ દ્વારા ‘‘કુપોષણ સામે બાથ ભીડવા વ્‍યૂહાત્‍મક આયોજન” માટે યોજાયેલ એક કાર્યશાળા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યાને નાબૂદ કરવા લીધેલાં સંકલ્‍પને સાકાર કરવા સંઘપ્રદેશ પ્રશાસનના મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્‍ય વિભાગ અને નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટે સહિયારો પ્રયાસ કરી ગર્ભાવસ્‍થા, શૈશવ, બાળપણ અને કિશોર અવસ્‍થામાં કુપોષણના સંદર્ભમાં જાગૃતિ પેદા કરવા એક અભિયાન શરૂ કર્યું છે. જેની કડીમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ આરોગ્‍ય સચિવ ડો. અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં સામુદાયિક આરોગ્‍ય વિભાગ, નમો મેડિકલ અને એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ દ્વારા ‘‘કુપોષણ સામે બાથ ભીડવા વ્‍યૂહાત્‍મક આયોજન” માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આરોગ્‍ય વિભાગ, એકીકૃત બાલ વિકાસ સેવા, મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ વિભાગોના હિતધારકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રારંભમાં નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના પ્રોફેસરો તથા હેડ ઓફ ડિપાર્ટમેન્‍ટે વર્કશોપમાં ભાગ લેનારાઓનું સ્‍વાગત કર્યું હતું.
પ્રી-ટેસ્‍ટની સાથે સત્રની શરૂઆત કરવામાં આવી હતી. ત્‍યારબાદ વક્‍તાઓએ કુપોષણ શું છે? અને કુપોષિત કોને કહેવામાં આવે?, વર્તમાન પરિસ્‍થિતિ અનેકુપોષણનું કારણ, ચોક્કસ મનોવૈજ્ઞાનિક માપદંડનું મહત્‍વ, વિવિધ હિતધારક વિભાગો દ્વારા કુપોષણ નાબૂદ કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં, અન્‍ય રાજ્‍યો અને સંઘપ્રદેશની સારી પ્રણાલીઓ તથા પોષણ પુનર્વાસ કેન્‍દ્રોની બાબતમાં સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી હતી.
અંતિમ સત્રમાં કુપોષણની સામે લડવા માટે વિવિધ વિભાગોના સમન્‍વયથી રણનીતિના વિકાસ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. આ કાર્યશાળાને આરોગ્‍ય સચિવ શ્રી અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્માએ સંબોધિત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્‍ટેમ્‍બર, 2023ને છઠ્ઠા ‘રાષ્‍ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ 2023નું કેન્‍દ્ર બિંદુ માનવજીવનના મહત્ત્વપૂર્ણ તબક્કા ગર્ભાવસ્‍થા, શૈશવ, બાળપણ અને કિશોરાવસ્‍થાની બાબતમાં વ્‍યાપક જાગૃતિ પેદા કરવાનો છે. જેના ઉદ્દેશથી સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્‍ત ભારત ઉપર કેન્‍દ્રિત વિષયવસ્‍તુના માધ્‍યમથી સમગ્ર ભારતમાં પોષણ સંબંધી સમજણને ઉત્તેજન આપવાનો છે.

Related posts

દાનહ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના નૈત્ર ચિકિત્‍સા વિભાગે હાંસલ કરી એક વધુ ઉપલબ્‍ધિ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વ્‍યક્‍તિ નહી, વ્‍યક્‍તિનું કામ બોલે છે, શરૂઆતમાં વિરોધ કરનારાઓ આજે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના બનેલા પ્રશંસક

vartmanpravah

વાપી સેસન્‍સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્‍યો

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment