Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદેશ

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

ઉર્વશીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘કુપોષણમુક્‍ત ભારત’ અભિયાનમાં ફાળો આપવા લીધેલી નૈતિક જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દેશના યશસ્‍વી વડાપ્રધાન અને અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિત્તે દમણની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા સમાજસેવી શ્રી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના ‘કુપોષણ મુક્‍ત ભારત’ અભિયાનના આહ્‌વાને સાર્થક કરવા દમણ જિલ્લાના 6 કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણ મુક્‍ત કરવાનીજવાબદારી પોતાને શિરે લેવાનું નેત્રદીપક કાર્ય કર્યું છે.
આજે આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આ 6 કુપોષિત બાળકોને દત્તક લીધા હતા અને તેમને ખવડાવવા માટે તેમના માતાઓને પૌષ્ટિક ખોરાકની કિટ આપી હતી. જેમાં 2 બાળકોની માતાઓને પૌષ્ટિક ખોરાક ઘરે પહોંચાડવામાં આવ્‍યો હતો. શ્રીમતી ઉર્વશીબેન પટેલે બાળકોને કુપોષણ મુક્‍ત બનાવવા માતાઓને આરોગ્‍ય માટે લેવાની કાળજી અંગેની માહિતી પણ આપી.
શ્રીમતી ઉર્વશીબેન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીજીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં ‘કુપોષણમુક્‍ત ભારત’નો સંકલ્‍પ કર્યો હતો અને તેમના આ સંકલ્‍પને સાર્થક કરવાના હેતુથી કુપોષિત બાળકોને દત્તક લઈ તેમને કુપોષણમુક્‍ત કરવાની જવાબદારી ઉપાડી છે.

Related posts

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

“કુપોષણ મુક્ત નવસારી જિલ્લો” જન આંદોલન ત્રીજો તબકકો: નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment