Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવના કેવડી ખાતે થયેલા ડિમોલીશનમાં સાંસદના મૌન સામે ઉઠી રહેલા પ્રશ્નો

સાંસદ બન્‍યા બાદ એક પણ ઘરનું ડિમોલીશન નહીં કરવા દેવાનો વાયદો કરનાર સાંસદ ઉમેશભાઈ પટેલ દમણમાં બેસી વિડીયો સંદેશ જારી કરતા દીવના લોકોમાં ફેલાયો આક્રોશ

દીવ સહિત પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સાંસદ ઉમેશભાઈ પટેલના ઉપ રાષ્‍ટ્રપતિ અને પ્રશાસકશ્રીના પ્રગટ કરેલા આભાર મુદ્દે વિડીયો સંદેશમાં કરેલી ટીકા સામે વ્‍યક્‍ત કરેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે પોતાના એક વિડીયો સંદેશમાં ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડના આમંત્રણ ઉપર દિલ્‍હી જઈ પરત આવ્‍યા બાદ સરપંચો અને જિલ્લા તથા નગરપાલિકાના સભ્‍યો દ્વારા સારી સુવિધા પુરી પાડવા બદલ ઉપ રાષ્‍ટ્રપતિ અને સંઘપ્રદેશ પ્રશાસનના માનેલા આભારને ચમચાગીરી ગણાવી આકરી ટીકા કરી છે અને ચૂંટાયેલા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓના વજૂદ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. જેની સામે દમણ અને દીવના ચૂંટાયેલા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના મોટાભાગના સભ્‍યોએ આકરો આક્રોશ પ્રગટ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક સૂરમાં જણાવ્‍યું છે કે, પોતાની નિષ્‍ફળતાને છૂપાવવા હવે નવા નવા જુઠ્ઠાણા ફેલાવી ફરી એક વખત લોકોને ગુમરાહ કરવાની કોશિષ કરી રહ્યા છે. તેઓએ જણાવ્‍યું હતું કે, દીવના કેવડી ખાતે થઈ રહેલા ડિમોલીશનનો સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલે શા માટે વિરોધ નહીં કર્યો? દીવના લોકોએ ઇતિહાસમાં પહેલી વખત ખોબે ખોબા ભરીને શ્રી ઉમેશભાઈ પટેલને મત આપીઐતિહાસિક સરસાઈ અપાવી હતી. હવે તેમના દુઃખના દિવસોમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દમણમાં બેસીને વિડીયો સંદેશ આપી રહ્યા છે અને ડિમોલીશન અટકાવવાની જગ્‍યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે, જે બેશરમીની હદ હોવાનું પણ જણાવ્‍યું છે. કારણ કે ચૂંટણી દરમિયાન શ્રી ઉમેશભાઈ પટેલે તેઓ સાંસદ બન્‍યા બાદ એક પણ ઘરનું ડિમોલીશન નહીં થાય તેવું વચન આપ્‍યું હતું. જેના ઉપર વિશ્વાસ રાખી લોકોએ મત આપ્‍યા હતા. આજે દીવના લોકો છેતરાયા હોવાની લાગણી વ્‍યક્‍ત કરી રહ્યા છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ જણાવે છે કે, લોકસભામાં તેમણે અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ લોકોને કોઈ પરિણામ નહીં મળતાં આવી રજૂઆતોનું શું કરવું? એવો પ્રશ્ન પણ લોકોમાં પૂછાઈ રહ્યો છે.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલના વિડીયો સંદેશથી દીવના બહુમતિ લોકોનો વિશ્વાસ પણ હવે તેમના ઉપરથી ઉઠી રહ્યો હોવાની લાગણી પ્રદેશના ચૂંટાયેલા કેટલાક પ્રતિનિધિઓ સમક્ષ પણ પ્રગટ કરી હતી.

Related posts

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

vartmanpravah

દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં દીવ જિલ્લાના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ કિરીટભાઈ વાજાના નેતૃત્‍વમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ-ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે સરીગામ ઔદ્યોગિક વિસ્‍તારમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં કાર્યકરો સાથે કરેલી ચૂંટણી સભા

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

vartmanpravah

Leave a Comment