Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

હોટલ સંચાલક દ્વારા ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં ઘોર ઉદાસિનતા રખાઈ હોવાનું તારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : નાની દમણના ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ(હોટલનાનાસ પેલેસ)ના સંચાલકોની અક્ષમ્‍ય ગુનાહિત બેદરકારીના કારણે બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગવાથી થયેલા મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસન વિભાગે હોટલનું રજીસ્‍ટ્રેશન રદ્‌ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના શનિવારે ગુજરાતના નડિયાદથી આવેલ શ્રીકાંત વાઘેલા અને તેના છ વર્ષના પુત્ર સિનોનનું હોટલના બાથરુમમાં શોક લાગવાથી કરૂણ મૃત્‍યુ થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં હોટલ નાનાસ પેલેસના જવાબદાર સંચાલકો સામે આઈપીસીની વિવિધ ધારા હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવેલ છે.
શોક લાગવાની ઘટનામાં હોટલ સંચાલકે ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં રાખેલી ઘોર ઉદાસિનતાના કારણે બે વ્‍યક્‍તિના મોત થતાં સંઘપ્રદેશ પ્રશાસનના પ્રવાસન વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્‍ટ્રેશન ઓફ ટુરિસ્‍ટ એક્‍ટ 1982ના પ્રોવિઝન અને બનેલ રૂલ્‍સ મુજબ તાત્‍કાલિક અસરથી ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ હોટલ નાનાસ પેલેસના રજીસ્‍ટ્રેશનને રદ્‌ કરવાનો આદેશ જારી કરાયો છે.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે 50 ટકા બેઠકો આરક્ષિત દમણની માછી મહાજન બી.એડ.કોલેજની સ્‍થાપનાના 28 વર્ષ દરમિયાન સમાજને 1500 જેટલા શિક્ષકોની આપેલી ભેટ

vartmanpravah

2047 સુધી વિકસિત ભારત બનાવવા  દમણમાં યોજાયેલ બે દિવસીય ‘ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ’ વિકસિત ગામથી વિકસિત જિલ્લો બનાવવાના નિર્ધાર સાથે સંપન્ન

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

vartmanpravah

કેન્‍દ્ર સરકારની ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ થ્રીડીએ 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્‍ત રીતે સર્વપ્રથમ રહેવાનું મેળવેલું બહુમાન

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

Leave a Comment