October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

હોટલ સંચાલક દ્વારા ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં ઘોર ઉદાસિનતા રખાઈ હોવાનું તારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : નાની દમણના ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ(હોટલનાનાસ પેલેસ)ના સંચાલકોની અક્ષમ્‍ય ગુનાહિત બેદરકારીના કારણે બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગવાથી થયેલા મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસન વિભાગે હોટલનું રજીસ્‍ટ્રેશન રદ્‌ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તા.30મી સપ્‍ટેમ્‍બરના શનિવારે ગુજરાતના નડિયાદથી આવેલ શ્રીકાંત વાઘેલા અને તેના છ વર્ષના પુત્ર સિનોનનું હોટલના બાથરુમમાં શોક લાગવાથી કરૂણ મૃત્‍યુ થયું હતું. જેના સંદર્ભમાં નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં હોટલ નાનાસ પેલેસના જવાબદાર સંચાલકો સામે આઈપીસીની વિવિધ ધારા હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવેલ છે.
શોક લાગવાની ઘટનામાં હોટલ સંચાલકે ઈલેક્‍ટ્રીકલ ઈક્‍વિપમેન્‍ટ્‍સ અને સિસ્‍ટમના મેઈન્‍ટેનન્‍સમાં રાખેલી ઘોર ઉદાસિનતાના કારણે બે વ્‍યક્‍તિના મોત થતાં સંઘપ્રદેશ પ્રશાસનના પ્રવાસન વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ રજીસ્‍ટ્રેશન ઓફ ટુરિસ્‍ટ એક્‍ટ 1982ના પ્રોવિઝન અને બનેલ રૂલ્‍સ મુજબ તાત્‍કાલિક અસરથી ન્‍યુ નટરાજ ગેસ્‍ટ હાઉસ હોટલ નાનાસ પેલેસના રજીસ્‍ટ્રેશનને રદ્‌ કરવાનો આદેશ જારી કરાયો છે.

Related posts

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

Leave a Comment