October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘કુપોષણ મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશને કુપોષણ મુક્‍ત પ્રદેશ બનાવવાના નિર્ધાર મુજબ નોડલ ઓફિસર અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા દ્વારા રાંધા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્‍ય અને પદાધિકારીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તા અને આરોગ્‍ય વિભાગના કર્મીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારત દેશ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને પણ કુપોષણ મુક્‍ત બનાવવાના અભિયાન હેઠળ રાંધા ગ્રામ પંચાયત ખાતે આયોજીત બેઠકમાં રાંધા પંચાયત અંતર્ગત નાના રાંધા, મોટા રાંધા, બોન્‍તા અને મોરખલ ગામની 21 આંગણવાડીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓનેકુપોષણથી મુક્‍ત કરવા માટે જનજાગૃતિ ફેલાવવાની રણનીતિ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્‍યા હતા. આ બેઠકમાં દરેક સહભાગીઓએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. બેઠકમાં ઉપસ્‍થિત શિક્ષકોને દરેક અઠવાડીયે કુપોષણથી પીડિત બાળકોના કુટુંબીજનો સાથે મુલાકાત કરી તેમના બાળકોના આરોગ્‍ય સંબંધી જાણકારી એકત્ર કરવા અને તેમને જાગૃત કરવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશની આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખી રસ્‍તા અને વ્‍યવસ્‍થાને અપાઈ રહેલો ઓપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

Leave a Comment