(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કુપોષણ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સંઘપ્રદેશને કુપોષણ મુક્ત પ્રદેશ બનાવવાના નિર્ધાર મુજબ નોડલ ઓફિસર અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા દ્વારા રાંધા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય અને પદાધિકારીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તા અને આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત દેશ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને પણ કુપોષણ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ રાંધા ગ્રામ પંચાયત ખાતે આયોજીત બેઠકમાં રાંધા પંચાયત અંતર્ગત નાના રાંધા, મોટા રાંધા, બોન્તા અને મોરખલ ગામની 21 આંગણવાડીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓનેકુપોષણથી મુક્ત કરવા માટે જનજાગૃતિ ફેલાવવાની રણનીતિ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં દરેક સહભાગીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. બેઠકમાં ઉપસ્થિત શિક્ષકોને દરેક અઠવાડીયે કુપોષણથી પીડિત બાળકોના કુટુંબીજનો સાથે મુલાકાત કરી તેમના બાળકોના આરોગ્ય સંબંધી જાણકારી એકત્ર કરવા અને તેમને જાગૃત કરવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્યા હતા.