December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના રખોલી ગામમાંભંગારનો ધંધો કરતા યુવાનની હત્‍યા કરી તેના ભંગારના શેડથી થોડે દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને અંજામ આપનારા આરોપીની દાનહ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેનાદીન સલીમ શેખ (ઉ.વ.45) રહેવાસી રખોલી, મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. મેનાદીન સલીમ શેખ રખોલી ગામમાં ભંગારનો ધંધો કરતો હતો. જેના ઉપર કોઈક અજાણ્‍યા ઈસમો દ્વારા રાત્રી દરમ્‍યાન હુમલો કરવામાં આવ્‍યો હતો અને એની લાશને ભંગારના શેડથી દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી.
રાત્રે મેનાદીન ઘરે નહિ આવતા એમના પરિવારના સભ્‍યો દ્વારા ભંગારના શેડ ખાતે તપાસ કરી હતી, પરંતુ તે નહીં મળી આવતા આજુબાજુના વિસ્‍તારમાં તપાસ કરતા ભંગારના શેડથી થોડે દૂર એક અવાવરુ જગ્‍યા પર ઈજાગ્રસ્‍ત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા. જેની તપાસ કરતા તે મૃત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા.
આ ઘટના અંગે તેમના પરિવાર દ્વારા સાયલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્‍યાં પી.એમ. દરમ્‍યાન પ્રાથમિક રિપોર્ટમાં હત્‍યા કરાઈ હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. પરિવારના સભ્‍યો દ્વારા પોલીસને એમના પિતાનું મોત નિપજાવનારાઆરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવાની અને સખ્‍ત સજા કરવાની માંગ કરી હતી. આ ઘટના અંગે સાયલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment