October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

દાનહ કૃષિ અને વન વિભાગ દ્વારા પ્રદેશના ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર અને જીવામૃત બનાવવાની આપવામાં આવેલી તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ અને કૃષિ વિભાગના સહયોગથી પ્રદેશના ખેડૂતોને ‘વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર’ અને ‘જીવામૃત’ બનાવવા માટેની તાલીમ અને તેના વપરાશના ફાયદા અંગે વિભાગીય અધિકારીઓ દ્વારા વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના સાયલી, ગલોન્‍ડા અને કિલવણી પંચાયતના ખેડૂતોને ફલાંડી નર્સરી કેન્‍દ્ર ખાતે અને રુદાના, ખાનવેલ તથા ખેરડી પંચાયતના ખેડૂતોને રુદાના ફોરેસ્‍ટ નર્સરી કેન્‍દ્ર ઉપર ‘વર્મીકમ્‍પોસ્‍ટ ખાતર’ અને ‘જીવામૃત’ બનાવવા માટેની તાલીમ અને તેના વપરાશના ફાયદાની વિગતવાર માહિતી વન વિભાગતથા કૃષિ વિભાગના ઉપસ્‍થિત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, દેશમાં જૈવિક ખેતીને પ્રોત્‍સાહન મળે એ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ ધીરે ધીરે ઘટાડતા જાય અને તેઓ જૈવિક ખેતી તરફ વળે એ એનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે. આજે ફલાંડી અને રૂદાના નર્સરી કેન્‍દ્ર ખાતે ‘જીવામૃત’ કેવી રીતે બનાવી શકાય તેની પ્રક્રિયા સ્‍થાનિક ખેડૂતોને બતાવવામાં આવી હતી.
જીવામૃત બનાવવાની પ્રક્રિયાઃ 5 લીટર દેશી ગાયનું ગોમૂત્ર, 10કિલો દેશી ગાયનું છાણ, એક ખોબો સેઢાની અથવા ઝાડ નીચેની માટી, એક કિલો દેશી ગોળ(દવા વગરનો), ચણા, મગ અથવા અડદનો એક કિલો લોટ, 200 લીટર પાણી.
આ તમામ સામગ્રીનું મિશ્રણ તૈયાર કરવા તેને 200 લીટર પાણીમાં ભેળવી દેવું, ત્‍યાર બાદ આ મિશ્રણને કંતાન(શણના કોથળા)થી ઢાંકી દેવું. બાદમાં ત્રણ દિવસ સવાર સાંજ પાંચ મિનિટ સુધી આ મિશ્રણને હલાવવું. આ મિશ્રણ ઉનાળામાં ત્રણ દિવસ લાગશે અને શિયાળામાં એક અઠવાડીયામાં તૈયાર થશે. આ જીવામૃત તૈયાર થયા પછી પંદર દિવસ ઉપયોગ કરી શકાશે. આ જીવામૃતને ગાળીને એક એકર જમીનમાં પિયતના પાણી સાથે અથવા ઉભા પાકમા છંટકાવ કરી શકાય છે.
આયોજીત તાલીમ શિબિર દરમિયાનનવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિક અને યુનિટ હેડ ડૉ. નવીન બી. પટેલે રાસાયણિક ખાતરના વપરાશથી નુકસાન અને જૈવિક ખેતીના ફાયદા અંગે ઉપસ્‍થિત ખેડૂતોને સમજ આપી હતી. આ અવસરે સંઘપ્રદેશ ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયા, વન વિભાગના ડી.સી.એફ., એ.સી.એફ. તથા વન વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

vartmanpravah

વાપી વીઆઈએ ચાર રસ્‍તા ઉપર રાત્રે બાઈકમાં ભીષણ આગ લાગતા બાઈક ખાખઃ ચાલકનો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

Leave a Comment