Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડના દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ગઈરાતે એક ઈસમે કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. ફાયર વિભાગની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ ઈસમની લાશને બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર મહેન્‍દ્ર સુદામ પાટીલ (ઉ.વ.48) રહેવાસી શુભમ એપાર્ટમેન્‍ટ સેલવાસ, અને મૂળ રહેવાસી શહાદા- મહારાષ્ટ્ર. જેઓ રાત્રિના દસ વાગ્‍યાના સુમારે દમણગંગા નદીના બ્રિજ ઉપર પહોંચી ગયા હતા અને નદીમાં ઝંપલાવી દીધું હતું. જમેને ત્‍યાંથી પસાર થતા વાહનચાલકે જોઈ લેતાં તેમણે તાત્‍કાલિક પોલીસને જાણ કરી હતી. ત્‍યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. ફાયર વિભાગનાજવાનોએ દમણગંગા નદીના તટમાં મહેન્‍દ્ર પાટીલને શોધવાનો પ્રયાસ કર્યો હતો. એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ મહેન્‍દ્રની લાશ મળી આવી હતી.
પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. મહેન્‍દ્ર પાટીલે કયા કારણોસર આત્‍મહત્‍યા કરી એ જાણી શકાયુ નથી. વધુ તપાસ સેલવાસ પોલીસે હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઈન્‍ટ બની ગયો છે. પ્રદેશની વિવિધ સંસ્‍થાઓ દ્વારા વારંવાર આ પુલની બન્ને સાઈડ પર લોખંડની જાળી લગાવવા માટે વહીવટીતંત્રને રજૂઆતો કરવામાં આવી ચુકી છે. પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય એમ આંખ આડા કાન જ કરી રહ્યું હોવાની પ્રતિતિ થાય છે. આ દમણગંગા નદીના પુલ ઉપરથી કેટલાય યુવક-યુવતિઓ આત્‍મહત્‍યા કરી ચુક્‍યા છે, તેથી લોકોની માંગણીને અનુસરીને તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં હેતુ પુલની બંને બાજુ જાળી લગાવવામાં આવે એ જરૂરી છે.

Related posts

દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી નગર પાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કરી ગાંધી જયંતીની કરેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment