દાનહ બેઠકના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીની જનતા સાથે દગો કરી લોકોનો તોડેલો ભરોસો અને કરેલો વિશ્વાસઘાતઃ ‘બાપ’ના ઉમેદવાર દિપકભાઈ કુરાડા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ‘ભારત આદિવાસી પાર્ટી (બાપ)’ના ઉમેદવાર શ્રી દિપકભાઈ કુરાડાએ આજે મોટી સંખ્યામાં સમર્થકોની હાજરી સાથે પોતાનું ઉમેદવારીપત્રક ભર્યું હતું. દાદરા નગર હવેલી બેઠક ઉપર ‘બાપ’ના શ્રી દિપકભાઈ કુરાડાએ પ્રથમ ઉમેદવારી પત્રક ભર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી ખાતે આદિવાસી ધારાશાષાી તરીકેની પોતાની આગવી ઓળખ ધરાવતા શ્રી દિપકભાઈ કુરાડાએ કરેલી દાવેદારીથી આ બેઠક ઉપર પ્રાથમિક અંદાજ મુજબ ત્રિ-પાંખિયો જંગ જામવાની સંભાવના દેખાઈ રહી છે. કોઈ અપક્ષ કે અન્ય પક્ષોની દાવેદારી આવશે તો આ બેઠક ઉપર બહુપાંખિયો જંગ પણ જામે એવી શક્યતાનકારાતી નથી.
આજે શ્રી દિપકભાઈ કુરાડાએ ‘બાપ’ વતીથી પોતાનું ઉમેદવારી પત્રક જમા કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે દાદરા નગર હવેલીની જનતા સાથે દગો કર્યો છે અને દાદરા નગર હવેલીના લોકોનો ભરોસો તોડીને વિશ્વાસઘાત કર્યો છે. આથી આ વખતે ભાજપના ઉમેદવારનો પરાજય નિヘતિ હોવાનું જણાવ્યું હતું.