July 18, 2026
Vartman Pravah
Other

વલસાડ જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવા માટે સંચાલકોની માંગ

 

 

 

કોરોના ગાઈડલાઈન પાલન અને પ૦ ટકાની હાજરી અંગે સંચાલકોઍ બાંહેધરી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)

વાપી, તા.૦૮ : કોરોનાના સંક્રમણને લઈ ગત વર્ષે નવરાત્રી સહિતના તમામ તહેવાર બંધ રહ્ના હતા. તેથી જિલ્લામાં ચાલતા ગરબા ક્લાસિસ પણ બંધ હતા. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી ચૂક્યુ છે. ત્યારે ગરબા ક્લાસીસ સંચાલકોઍ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગરબા ક્લાસ ચાલુ કરવાની માંગણી કરી હતી. વલસાડ સહિત જિલ્લામાં ૭૦ જેટલા ગરબા ક્લાસીસ કાર્યરત છે. ગયા વર્ષે બંધ રહેલા તેથી આ વર્ષે ક્લાસ ચાલુ કરવા અંગેની માંગ કરી સંચાલકોઍ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ગરબાથી ફીટનેશ વધશે તેવું જણાવી સંચાલકોઍ જણાવ્યું હતું કે, ગત વર્ષે ક્લાસ બંધ હોવાથી આર્થિક ભીંસ સંચાલકો અનુભવી રહ્ના છે. અમો કોરોનાની ગાઈડ લાઈન મુજબ પ૦ ટકા સંખ્યા સાથે ગરબા ક્લાસ ચાલુ કરવાની ચાલુ રાખીશુ. બીજુ સુરત નવસારી વગેરે જિલ્લામાં ગરબા ક્લાસ ચાલુ કરવાની પરમીશન અપાઈ છે તે મુજબ વલસાડ જિલ્લાને પણ પરમીશન મળે તેવી માંગ કરી છે.

Related posts

આખા વર્ષ દરમિયાન લાખો પર્યટકોને સ્‍વર્ગનો અહેસાસ કરાવતા દાદરા નગર હવેલીના દૂધની ગામને મળ્‍યો ‘‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ” એવોર્ડ-2024

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને રખોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદેસરના બાંધકામોનું કરેલું ડિમોલિશન

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ નો પડઘો’ દાનહ એસપીએ શાળા અને કોલેજના પ્રિન્‍સિપાલો સાથે કરી બેઠક : વિદ્યાર્થીઓની ગતિવિધિ ઉપર રખાશે નજર

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

vartmanpravah

દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્‍ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્‍યું નિવૃતિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment