July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍ય સ્‍મૃતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સમાજમાં કેટલાક પરિવારો સ્‍વજનોના મૃત્‍યુ બાદ તેની પુણ્‍યતિથિ સામાન્‍ય રીતે નહી પણ સમાજ માટે પ્રેરક બને તેવા કાર્ય થકી કરતો હોય છે. કંઈક તેવી જપુણ્‍યતિથિ છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠ ઉજવાઈ હતી. સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍યતિથિ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને દિવંગતને અનોખી શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. આ પ્રસંગે સંસ્‍કાર વિદ્યાપીઠનો પરિવાર તથા વિ.પ્ર. ફાઉન્‍ડેશન ઝોનના હોદ્દેદારો, રાજસ્‍થાન સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
મંજુબેન દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સંસ્‍કાર વિદ્યાપીઠ છરવાડા વાપીના પરિસરમાં સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માના પરિવારે કોરોનાના કારમા કાળમાં નિર્મલાદેવીનું નિધન થયું હતું. તેઓ સદા વૃક્ષારોપણ-જીવદયાના હિમાયતી રહ્યા હતા તેથી તેમની સ્‍મૃતિમાં પરિવાર તેમની પ્રત્‍યેક શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવણી કરે છે તે અનુસંધાનમાં સંસ્‍કાર વિદ્યાપીઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍કાર વિદ્યાપીઠના સ્‍થાપક અને ટ્રસ્‍ટ ચેરમેન બી.કે. દાયમાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. સ્‍વ. નિર્મલાદેવી શર્માના પતિ હનુમાન પ્રસાદ શર્મા, રાજસ્‍થાન પ્રગતિમંડળના પ્રમુખ રાજેશ દુગ્‍ગલ સહિત વિ.પ્ર. ફાઉન્‍ડેશનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ દાયમાએ કર્યું હતું.

Related posts

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

vartmanpravah

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્‍થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ

vartmanpravah

Leave a Comment