April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍ય સ્‍મૃતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સમાજમાં કેટલાક પરિવારો સ્‍વજનોના મૃત્‍યુ બાદ તેની પુણ્‍યતિથિ સામાન્‍ય રીતે નહી પણ સમાજ માટે પ્રેરક બને તેવા કાર્ય થકી કરતો હોય છે. કંઈક તેવી જપુણ્‍યતિથિ છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠ ઉજવાઈ હતી. સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માની તૃતિય પુણ્‍યતિથિ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને દિવંગતને અનોખી શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. આ પ્રસંગે સંસ્‍કાર વિદ્યાપીઠનો પરિવાર તથા વિ.પ્ર. ફાઉન્‍ડેશન ઝોનના હોદ્દેદારો, રાજસ્‍થાન સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
મંજુબેન દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સંસ્‍કાર વિદ્યાપીઠ છરવાડા વાપીના પરિસરમાં સ્‍વ. શ્રીમતી નિર્મલાદેવી હનુમાન પ્રસાદ શર્માના પરિવારે કોરોનાના કારમા કાળમાં નિર્મલાદેવીનું નિધન થયું હતું. તેઓ સદા વૃક્ષારોપણ-જીવદયાના હિમાયતી રહ્યા હતા તેથી તેમની સ્‍મૃતિમાં પરિવાર તેમની પ્રત્‍યેક શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવણી કરે છે તે અનુસંધાનમાં સંસ્‍કાર વિદ્યાપીઠમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍કાર વિદ્યાપીઠના સ્‍થાપક અને ટ્રસ્‍ટ ચેરમેન બી.કે. દાયમાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. સ્‍વ. નિર્મલાદેવી શર્માના પતિ હનુમાન પ્રસાદ શર્મા, રાજસ્‍થાન પ્રગતિમંડળના પ્રમુખ રાજેશ દુગ્‍ગલ સહિત વિ.પ્ર. ફાઉન્‍ડેશનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દિનેશ દાયમાએ કર્યું હતું.

Related posts

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ કિરણ રાવલે 98મી વાર રક્‍તદાન કર્યું

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

Leave a Comment