March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવસેલવાસ

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

આવતી કાલ ૪થી જૂનના રોજ ઈવીઍમમાં કેદ થયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્યનો ફેંસલો થશે. આવતી કાલે જાહેર થનારા લોકસભાના ચૂંટણી પરિણામો અંગે પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ છે. દમણ-દીવની બેઠક ઉપર ભાજપના શ્રી લાલુભાઈ પટેલ સળંગ ચોથી ટર્મ માટે વિજેતા બનશે કે પછી કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલનું ભાગ્ય ચમકશે, અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ જાયન્ટ કિલર સાબિત થઈ પોતાના ચૂંટણી પ્રતિક કૂકરની માફક બધાને બાફી(ચઢાવી) નાંખશે તેના ઉપર ફક્ત સંઘપ્રદેશ જ નહીં પરંતુ દિલ્હી સુધીનું ધ્યાન કેન્દ્રિત છે.
દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રીમતી કલાબેન ડેલકર ઐતિહાસિક જીત મેળવે કે પછી તેમને જીતવા માટે પડકારનો સામનો કરવા પડે તેના ઉપર લોકોનું ખાસ ધ્યાન છે. કારણ કે, શ્રીમતી કલાબેન ડેલકરે પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર તરીકે પોતાના નજીકના હરિફ ભાજપના શ્રી મહેશભાઈ ગાવિત સામે લગભગ ૫૧ હજાર જેટલા મતોની સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો. આ વખતે શ્રીમતી કલાબેન ડેલકરે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે તેમના મતોની સરસાઈ વધવી જાઈઍ ઍવું સામાન્ય અનુમાન છે. કારણ કે, દાનહ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શ્રી અજીત માહલા અને અપક્ષ શ્રી દીપકભાઈ કુરાડાની કોઈ રાજકીય હાજરી નહીં હતી, અને શ્રીમતી કલાબેન ડેલકરને આ ચૂંટણીમાં સરળતાથી વિજય નહીં મળશે તો ભાજપ હાઈકમાન્ડે તેમને ટિકિટ આપવા લીધેલો નિર્ણય અપરિપક્વ ગણાશે.
સાંસદ તરીકે શ્રીમતી કલાબેન ડેલકરની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્ના હોવાનું સામાન્ય લોકોમાં માનવામાં આવતું હતું. પરંતુ ‘જા જીતા વોહી સિકંદર’ની માફક શ્રીમતી કલાબેન ડેલકર જ વિજેતા બને ઍવા પ્રાથમિક તારણો છે.
આવતી કાલે જાહેર થનારા પરિણામોમાં પ્રદેશના લોકોની દૃષ્ટિનું પણ પ્રતિબિંબ પડશે. પ્રદેશમાં શરૂ થયેલી વિકાસની રાજનીતિને બહુમતિ લોકો કેવી રીતે મૂલવે છે તેનો પડઘો પણ પરિણામોમાં પડશે. કારણ કે, છેલ્લા ૧૦ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ છે અને વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે પ્રદેશનું આગળનું ભવિષ્ય કેવું રહેશે તેની પરીક્ષા પણ આવતી કાલના પરિણામો કરશે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

દમણવાડા પંચાયતનો નવતર અભિગમઃ ટ્રેક્‍ટરની ટ્રોલીમાં પંચાયત કાર્યાલય બનાવી પ્રત્‍યેક વોર્ડમાં પહોંચી ગ્રામજનોને ઘરઆંગણે આપવામાં આવેલા વિવિધ સર્ટીફિકેટો

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment