July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં છઠ્ઠ પૂજાની ભવ્‍ય ઉજવણી : હજારો ભાવિકાઓ સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય અભિષેક કર્યો

દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની આસ્‍થા સાથે ભાવિકોએ કરેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: ઉત્તરભારતીય માટે સૌથી મહિમાવંતુ પર્વ એટલે છઠ્ઠ પૂજા. ભારતભરમાં જ્‍યાં જ્‍યાં ઉત્તર ભારતીયો વસવાટ કરે છે ત્‍યાં ત્‍યાં છઠ્ઠ પર્વની ઉજવણી કરે છે. 36 કલાક નિર્જળા સાથે ભગવાન સૂર્યનારાયણને સંધ્‍યા અને પ્રાતઃ અર્ઘ્ય પૂજાપાઠ આરતી કરીને ચઢાવે છે. આજે વાપી દમણગંગા નદી કિનારે તેમજ રાતા ખાડી પાસે છઠ્ઠ પૂજાની હજારો ભાવિકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
દમણગંગા નદી કિનારે સાંજના 4 વાગ્‍યાથી ભાવિકોનું ઘોડાપુર છઠ્ઠ પૂજા કરવા માટે દમણગંગાના ઘાટ ઉપર ઉમટી આવ્‍યું હતું. વાસની ટોપલીઓમાં પૂજાનો સામાન, ફળો, શેરડી સાથે અબાલ વૃધ્‍ધો છઠ્ઠ પૂજામાં જોડાયા છે. બહેનોએ ભગવાન સૂર્યનારાયણનો સંધ્‍યા અર્ઘ્ય અભિષેક કર્યો હતો. 36 કલાક નિર્જળા રહી ખુબ આસ્‍થા સાથે છઠ્ઠની આરાધના-ઉપાસના કરે છે. ઉત્તર ભારતીયો માટે છઠ્ઠ પૂજા ખુબ મહિમાવંતો આદર આસ્‍થા સાથેનું પર્વ છે. આજે ગુરૂવારે સંધ્‍યા પૂજા કરવામાં આવી હતી તેમજ આવતીકાલેસવારે છ કલાકે ફરી સૂર્ય ભગવાનને નદી કિનારે પહોંચી અર્ક ચઢાવી છઠ્ઠ પૂજાનું વ્રત પુરુ કરે છે. બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા નદી કિનારે જરૂરી પ્રાથમિક સેવા સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જેથી કોઈપણ ભાવિકોને મુશ્‍કેલી પડે નહીં. પોલીસ વિભાગ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તહેનાત કરવામાં આવ્‍યો હતો. દમણગંગા નદી કિનારે અંદાજીત 30 થી 40 હજાર ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. જ્‍યારે રાતા ખાડી ઉપર 10 જેટલા ભાવિકો છઠ્ઠ પૂજામાં જોડાયા હતા. વાપીમાં વસતા તમામ ઉત્તર ભારતીય પરિવારોએ આસ્‍થા ઉમંગ ઉત્‍સાહ સાથે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.

Related posts

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

…અને તત્‍કાલિન પ્રશાસક આર.કે.વર્માના કાર્યકાળમાં ઝોનિંગનું કામ પૂર્ણ થયું: દાનહમાં ભૂમિહીનોને ફાળવેલ જમીનોનું ટપોટપ વેચાણ શરૂ થયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના આરોગ્‍ય વિભાગ દ્વારા “રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ”ની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment