Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

પ્રત્‍યેક ચોમાસામાં કેટલીક કંપનીઓ ટ્રીટમેન્‍ટ કર્યા વગરનું પ્રદૂષિત પાણી છોડી રહી છે છતાં જીપીસીબી ચૂપ કેમ?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ચોમાસુ સામાન્‍ય રીતે ખેડૂતો માટે આશિર્વાદ રૂપ ગણાય છે. પરંતુ આ ચોમાસું વાપી જીઆઈડીસીની કેટલીક કંપનીઓ માટે પણ આશિર્વાદ રૂપ નિવડતું જોવા મળી રહ્યું છે. આજે શનિવારે પડેલા વધુ વરસાદને લઈ રોડ ઉપર વહેતા વરસાદી પાણીની સાથે કેટલીક કંપનીઓ પ્રદૂષિત પાણી કોઈ હીચકીચાટ વગર બિંદાસ છોડતી જોવા મળી હતી.
વાપી જીઆઈડીસીમાં એર પોલ્‍યુશનની બુમાબુમ છે જ સાથે સાથે વોટર પોલ્‍યુશન પણ ખાનગી રાહી સરેઆમ કંપની દ્વારા કરવામાંઆવી રહ્યું છે. ક્‍યારેક બિલખાડીમાં અનેકવાર રંગીન કેમિકલ યુક્‍ત પાણી જોવા મળે છે. આજે વધુ વરસાદ હોવાનો કંપનીઓએ સીધો લાભ લીધેલો જોવા મળ્‍યો હતો. ટ્રીટમેન્‍ટ કર્યા સિવાયનું પ્રદૂષિત પાણી એસ્‍ટેટમાં વરસાદી પાણી સાથે જોવા મળી રહ્યું છે. કંપનીઓ દ્વારા વોટર એન્‍ડ એર પોલ્‍યુશન ફેલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં જી.પી.સી.બી. ગાંધીજીની ત્રણ બંદરની મુદ્રામાં નિહાળાઈ રહેલ જણાય છે. ઘણી કંપનીઓ ડ્રેનેજ અથવા બીલખાડીમાં પ્રદૂષિત પાણી બેફામ છોડી જાહેર આરોગ્‍ય સાથે ચેડા કરી રહી છે.

Related posts

વાડધા-મનાલા રોડ ઉપરથી રાત્રે ખેરના જથ્‍થો ભરેલ ક્‍વોલીસ કાર ઝડપાઈ : ચાલક ફરાર

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

આજે દમણમાં રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય ગુરૂદેવ શ્રીમદ્‌ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ તથા ગણિપ્રવર પ્રશાંતસાગરજી મહારાજ આદિ પૂજ્‍યોની પાવન પધરામણી અવસરે ભવ્‍ય સામૈયું યોજાશે

vartmanpravah

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

પરીક્ષાનાં તણાવમાંથી મુક્‍તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ

vartmanpravah

Leave a Comment