July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

આગામી 20 દિવસોમાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા. 10 : ધોધમાર વરસાદમાં દાદરા નગર હવેલીના કેટલાક રસ્‍તાઓની હાલત ખુબ ખખડધજ અને દયબનીયચુકી છે. જેમાં સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના રસ્‍તાઓનો પણ સમાવેશ થાય છે. તમામ ખખડધજ અને જર્જરીત બનેલા રસ્‍તાઓને તાત્‍કાલિક ધોરણે રીપેર કરવા માટે દાદરા નગર હવેલી કોંગ્રેસ કમિટી દ્વારા ન.પા. પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દાનહ કોંગ્રેસ કમિટી દ્વારા સેલવાસ નગરપાલિકાના પ્રમુખશ્રીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે નગરપાલિકા વિસ્‍તારના દરેક રસ્‍તાઓની હાલત બદતર બનીને ખખડધજ બની ચુકી છે. જેના કારણે છાશવારે અકસ્‍માતોની ઘટનાઓ બની રહી છે. જેમાં જાનહાનિને પણ નુકસાન થઈ રહ્યું છે.
પ્રદેશમાં જર્જરીત બનેલા રસ્‍તાઓના કારણે દર્દીઓને ઈમરજન્‍સીમાં સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડવા સમયનો પણ વેડફાઈ રહ્યો છે. એમ્‍બ્‍યુલન્‍સ સમય પર હોસ્‍પિટલ નહીં પહોંચી શકતા દર્દીઓને દમ તોડવાનો પણ વારો આવી શકતો હોય છે. સામાન્‍ય લોકોના આરોગ્‍ય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે. જેમાં કમરના દુઃખાવા, હાડકાં નબળા થવા, ઢીંચણમાં દુઃખદો થવો, કરોડરજ્જુમાં દુઃખાવો થવો વગેરે જેવા રોગો લોકોને થઈ રહ્યા છે. વાહનો પણ ખખડી રહ્યા છે. સાથે ટ્રાફિકજામની પણ સમસ્‍યા ઉભી થઈ રહી છે. હાલની પરિસ્‍થિતિ શાળાના વિદ્યાર્થીઓ અને અન્‍ય અવરજવર કરનાર લોકો ભારે પરેશાનીઓ વેઠી રહ્યા છે.
દાનહ કોંગ્રેસેવધુમાં જણાવ્‍યું હતું છે કે, સેલવાસ નગરપાલિકા દ્વારા અન્‍ય કોઈપણ મામલામાં કાર્યવાહી કરવાની હોય, જેવી કે નાના-મોટા વેપારીઓ પર કાર્યવાહી કરવાની, દુકાનો બંધ કરાવવી, ટેક્‍સ વધારવો, વગેરે જેવી પ્રવૃત્તિઓ તાત્‍કાલિક શરૂ કરી દેવાતી હોય છે, પરંતે છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બનેલા રસ્‍તાઓનું સમારકામ શા માટે નથી કરાતું?
નગરપાલિકા ભાજપની, સાંસદ ભાજપના, કેન્‍દ્રમાં સરકાર ભાજપની અને પ્રશાસન પણ ભાજપ સરકારને આધીન છે, છતાં પણ રસ્‍તાઓનું સમારકામ નથી થઈ રહ્યું છે. પાલિકા વિસ્‍તારની જનતા આ ખરાબ રસ્‍તાઓના કારણે પરેશાન થઈ રહી છે.
કોંગ્રેસ કમિટી દ્વારા કેટલીય વાર લેખિત આવેદન આપી ચુકી છે પરંતુ પાલિકા ઓથોરિટી દ્વારા આ બાબતને ગંભીરતાથી શા માટે નથી લેવામાં આવી રહ્યું? જેથી દાનહ કોંગ્રેસ કમિટી દ્વારા નિર્ણય લેવામા આવ્‍યો છે કે જો સેલવાસ નગરપાલિકા ઓથોરિટી દ્વારા 20 દિવસની અંદર જર્જરીત રસ્‍તાનું સમારકામ નહીં કરવામાં આવશે તો નગરપાલિકા વિસ્‍તારની જનતાની પરેશાની અને સમસ્‍યાઓને ધ્‍યાનમાં રાખી લોકોના હિતમાં દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનની સાથે નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

Leave a Comment