Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના દહીખેડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્‍સનો સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ગામમાં આવેલી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો હતો.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યરત ડિસ્‍ટ્રીક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વિમેનના સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ‘‘બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત થતી કામગીરી વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી સાથે શિક્ષણ તેમજ આરોગ્‍યની માહિતી પણ આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રીની વિવિધ યોજનાઓની તેમજ તેમના લાભો કેવી રીતે લેવા તેની માહિતી પણ આપવામાં આવી હતી. કુણાલભાઈ ગાંધી, ડેવલપમેન્‍ટ ઓફિસર અને ઉર્જાબેન પટેલ, એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર, શ્રીમદ્‌ રાજચંદ્ર-ધરમપુર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્‍સની માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12પછી કયા વિષય સાથે આગળ વધી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર અને વ્‍યવસાયમાં પણ સફળતા મેળવી શકે તેની માહિતી આપવામાં આવી હતી. ત્‍યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિડીયો દ્વારા કેરિયર ગાઈડન્‍સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્‍ટ્રીક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વિમેનનો સ્‍ટાફ, શ્રીમદ્‌ રાજચંદ્ર ધરમપુરનો સ્‍ટાફ, માધ્‍યમિક શાળા-દહીંખેડ આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

ઓરવાડ મેદાનમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા બે ફરાર

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

વાપી ખેરાની પેપર મિલમાં ભિષણ આગ લાગી

vartmanpravah

Leave a Comment