October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના દહીખેડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્‍સનો સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” અંતર્ગત આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીખેડ ગામમાં આવેલી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં કેરિયર ગાઈડન્‍સ સેમિનાર યોજાયો હતો.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા કાર્યરત ડિસ્‍ટ્રીક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વિમેનના સ્‍ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ‘‘બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત થતી કામગીરી વિશે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી સાથે શિક્ષણ તેમજ આરોગ્‍યની માહિતી પણ આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રીની વિવિધ યોજનાઓની તેમજ તેમના લાભો કેવી રીતે લેવા તેની માહિતી પણ આપવામાં આવી હતી. કુણાલભાઈ ગાંધી, ડેવલપમેન્‍ટ ઓફિસર અને ઉર્જાબેન પટેલ, એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર, શ્રીમદ્‌ રાજચંદ્ર-ધરમપુર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્‍સની માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12પછી કયા વિષય સાથે આગળ વધી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર અને વ્‍યવસાયમાં પણ સફળતા મેળવી શકે તેની માહિતી આપવામાં આવી હતી. ત્‍યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિડીયો દ્વારા કેરિયર ગાઈડન્‍સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્‍ટ્રીક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વિમેનનો સ્‍ટાફ, શ્રીમદ્‌ રાજચંદ્ર ધરમપુરનો સ્‍ટાફ, માધ્‍યમિક શાળા-દહીંખેડ આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રથમ ઈ.સી. બેઠક યોજાઈઃ વિવિધ 41 કમિટી મેમ્બરોની કરાયેલી નિયુક્તિ

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment