March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી

તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોમાં ધારાસભ્‍યો દ્વારા લેવાતી કટકી કમલમ સુધી પહોંચતી હોવાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા વલસાડ જિલ્લામાં કોંગ્રેસની જનમંચ રેલી બે દિવસથી યોજી રહ્યા છે. આજેધરમપુરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી જનમંચ રેલીમાં અમિત ચાવડાએ સભા ગરજી હતી અને સરકારને આડે હાથે લીધી હતી.
આગામી સમયે વલસાડ જિલ્લાની વલસાડ-પારડી અને ધરમપુર નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની હોવાથી વલસાડ જિલ્લા કોંગ્રેસ સક્રિય બની રહી છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા કાર્યકરોમાં જોસ ઉમંગ ભરવા માટે ઠેર ઠેર જનમંચ રેલી યોજી રહ્યા છે. તે અંતર્ગત ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ હતી. રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ, વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ, મિલનભાઈ દેસાઈ જેવા કોંગ્રેસના નેતા અને હોદ્દેદારો જનમંચ રેલીમાં જોડાયા હતા. ધરમપુરમાં રેલીને સંબોધતા અમિત ચાવડાએ વિવિધ આક્ષેપો કરી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં 7 હજાર પંચાયતો, 72 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયતમાં સરકાર સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ યોજતી નથી અને વહીવટદારો નિમણૂંક કરી વહિવટદારોનું રાજ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણી લડવા તૈયાર છે. તેમણે મોટો આક્ષેપ એવો કર્યો હતો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અને મનરેગાના વિકાસ કામોમાં ધારાસભ્‍યો દ્વારા કટકી લેવાય છે અને એ નક્કી ગાંધીનગર કમલમ સુધી પહોંચેછે. અમે ભ્રષ્‍ટાચાર અને વહીવટદારોને નાબુદ કરવા માગીએ છીએ.

Related posts

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડની અદિતિ વિશ્વાસ શેઠે બેંગલુરુની ‘નેશનલ લૉ સ્‍કૂલ ઓફ ઈંડિયા યુનિવર્સિટી’ની પ્રવેશ પરીક્ષામાં 23મું સ્‍થાન પ્રાપ્ત કર્યું

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને વન વિભાગના અધિકારીઓએ દાનહના બેસદા, વાંસદા અને સિંદોનીના ત્રિજંક્‍શન ખાતે 1410 ફૂટના સૌથી ઊંચા શિખર પર ચડીને રાષ્ટ્રધ્‍વજ ફરકાવ્‍યો

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

Leave a Comment