Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

  • સંઘપ્રદેશ પ્રશાસને પેટા ચૂંટણીમાં નાણાંના પ્રભાવને રોકવા શરૂ કરેલી કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે અગામી તા.30મી ઓક્‍ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાંના થતા પ્રયોગને રોકવા ચૂંટણી પંચે આપેલા દિશા-નિર્દેશ મુજબ કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસે દાદરા નગર હવેલીની તમામ બેંકો પાસેથી રૂા.1 લાખ કરતા વધુની જમા-ઉપાડની છેલ્લા બે મહિનાથી માહિતી આપવા તાકિદ કરી છે.
એક બેંક એકાઉન્‍ટમાંથી આરટીજીએસ મારફત કેટલીક વ્‍યક્‍તિઓને કરવામાં આવેલ નાણાંની ટ્રાન્‍સફરના સંદર્ભમાં પણ માહિતી મંગાઈ છે અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂા.1 લાખ કરતા વધુનો ઉપાડ અને જમાની વિગતો માંગવામાં આવી છે.

Related posts

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

વાપીમાં આજે આયુષ્‍યમાન કાર્ડ અને શ્રમિક કાર્ડ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાશે

vartmanpravah

Leave a Comment