December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.30: આજરોજ સરીગામ જીઆઇડીસીમાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, નોટિફાઇડ કચેરી અને કોમન ઇન્‍ફયુલેન્‍ટ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટના સંયુક્‍ત ઉપક્રમે સ્‍વચ્‍છતા લક્ષી કાર્યક્રમ અને કામગીરીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અભિયાન અંતર્ગત સવારે 10:30 કલાકે જીપીસીપી કચેરીના પરિસરમાં સ્‍વચ્‍છતાની કામગીરી સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ નોટિફાઇડ કચેરી અને મેડલીન (જેબીએફ કંપની) ના વિસ્‍તાર અને આજુબાજુમાં સફાઈ અભિયાન હાથ ધરી પ્રજામાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.આ પ્રસંગે જીપીસીપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી, એસઆઈએના પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, મેડલી કંપનીના મેનેજર શ્રી કલ્‍પેશભાઈ ભગતે સ્‍વચ્‍છતા કાર્યક્રમનો ઉદ્દેશ અને સ્‍વચ્‍છતાથી થનારા ફાયદાઓ વિશે સમજ આપી હતી. આ ઉપરાંત વર્ષ દરમિયાન સ્‍વચ્‍છતા લક્ષી કરવામાં આવી રહેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી.
અંતમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ એસઆઈએના સભાખંડમાં બેઠકના આયોજન સાથે કરવામાં આવી હતી. જ્‍યાં જીપીસીપીના પ્રાદેશિક અધિકારીશ્રી એ ઓ ત્રિવેદીએ સ્‍વભાવ સ્‍વચ્‍છતા અને સંસ્‍કાર સ્‍વચ્‍છતાનો સંકલ્‍પ કરાવતા ઉપસ્‍થિત તમામ ઉદ્યોગપતિઓને સ્‍વચ્‍છતામાં રહેવું અને વિસ્‍તારને સ્‍વચ્‍છતા રાખવો તેમજ ગંદકી ન ફેલાવે એના માટે શપથ લેવડાવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે તમામ ઉદ્યોગપતિઓએ પોતાની કંપની સહિત નોટિફાઇડ વિસ્‍તારમાં ગંદકી નહીં કરવાનો સંકલ્‍પ કર્યો હતો. આ સંકલ્‍પ બાદ શપથ લેવડાવનાર જીપીસીપીના પ્રાદેશિક અધિકારી અને શપથ લેનાર સરીગામના ઉદ્યોગપતિઓ હવે આવનારા સમયમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃત રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં એસઆઈએ પ્રમુખશ્રી નિર્મલભાઈ દુધાની, પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ, સેક્રેટરીશ્રી આનંદભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી નીતિનભાઈ ઓઝા, શ્રીસજ્જનભાઈ મુરારકા, શ્રી સમીમભાઈ રીઝવી, શ્રી દિલીપભાઈ ભંડારી, શ્રી દામોદરભાઈ પારેખ, પૂર્વ પ્રમુખશ્રી શિવદાશન, શ્રી હેમંતભાઈ મંડોલી સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

vartmanpravah

Leave a Comment