July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બે સ્‍થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્‍કયુ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: પારડી તાલુકામાં બે અલગ અલગ સ્‍થળોએ જીવદયા ગ્રુપ દ્વારા 2 અજગરનું સફળ રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું. પ્રથમ ઘટના ઉમરસાડી નાનીમાછીવાડ ખાતે જયકિશનભાઈ ટંડેલના ઘરે અજગર મરઘા શિકાર કરવા પાંજરામાં ભરાયો હતો. ટંડેલ પરિવારે આ અજગરને જોતા ભય લાગતા તેમણે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારીને જાણ કરી હતી. જેથી ગ્રુપના સભ્‍ય યાસીન મુલતાની તરત જ સ્‍થળ પર પહોંચી ગયા હતા અને મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડ્‍યો હતો. જેનાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
બીજી ઘટના સોનવાડા રોડ પર આવેલી પારડીના ડો. પી.વી. ઠોસરની વાડી નજીક અજગર નજરે આવ્‍યો હતો જેથી સ્‍થાનિકોએ ફરીથી અલી અન્‍સારીનો સંપર્ક કર્યો હતો અને યાસીન મુલતાની તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચ્‍યા અને તેઓએઅજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્‍યો હતો. આમ જીવદયા ગ્રુપે એક જ દિવસમાં બે અલગ અલગ સ્‍થળે થી અજગરનું રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું. આ બંને અજગરોના રેસ્‍કયુ બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને જંગલમાં મુક્‍ત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી જે અંગેની માહિતી જીવદયા ગ્રુપ દ્વારા મંગળવારના રોજ બપોરે 11:00 કલાકે આપવામાં આવી હતી.

Related posts

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment