September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: વંકાલ ગામે જુના સર્વે નં-167 ના બદલાયેલા બ્‍લોક નં-646/1/પૈકીના નવા બ્‍લોક નં-26 ની0-15-19 હે.આરે-ચો.મી જમીન ગૌચરણની જમીનમાંથી ગોડાઉન બાંધવા માટે વંકાલ ગામની સેવા સહકારી મંડળીને વલસાડ જિલ્લા કલકેટર દ્વારા 8/8/1975 ની તારીખથી શરતોને આધીન ફાળવવામાં આવી હતી.
આમ ગોડાઉન બાંધવા માટે ફાળવેલી જગ્‍યામાં ગોડાઉન તથા ચાર જેટલી દુકાનોનું બાંધકામ કરી તેને ભાડાથી આપવામાં આવી હતી. આ અંગે સ્‍થાનિક આગેવાનો દ્વારા થયેલ રજૂઆતની તપાસ બાદ જિલ્લા કલેકટર દ્વારા 23-સપ્‍ટેમ્‍બર-24 ના રોજ વંકાલ સેવા સહકારી મંડળીને 1975 થી જે શરતોને આધીન આપવામાં આવી હતી. તે શરતો પૈકી શરત નં-2 નો ભંગ થયેલ હોય શરત નં-4 મુજબ સદર જમીન વિના વળતરે ઇમલા સહ સરકાર હસ્‍તક પરત લઈ સરકારી શીર પડતર હેડે દાખલ કરવા હુકમ કરવામાં આવ્‍યો છે.
વંકાલ સહકારી મંડળીના ચેરમેન નટવરભાઈ પટેલના જણાવ્‍યાનુસાર અગાઉના શાસકોએ નિયમોની જાણકારીના અભાવે અજાણતામાં કર્યું હશે. પરંતુ અમારા ધ્‍યાનમાં આવતા જ અમે ગોડાઉન ખાલી કરાવી દીધેલ છે. અમારી મંડળી હંમેશા ખેડૂત સભાસદોના હિતમાં કામ કરી રહી છે અને હાલે જમીન સરકાર હસ્‍તક પરત લેવાના જિલ્લા કલેકટરશ્રીના હુકમ સામે અમે મહેસુલ પંચમાં અપીલ કરી છે.

Related posts

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્‍ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા

vartmanpravah

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment