July 29, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

જન પ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135બીના પ્રાવધાન અંતર્ગત આદેશનું ઉલ્લંઘન કરનારા જવાબદાર વ્‍યક્‍તિ દંડને પાત્ર ઠરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: આગામી 20મી નવેમ્‍બર, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે તેને ધ્‍યાનમા રાખી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ચૂંટણી વિભાગ દ્વારા સરકારી તથા ગેર સરકારી અને ખાનગી કંપની, સંસ્‍થા અને વિવિધ એકમો/ પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા આદેશ કરાયો છે.
દાદરા નગર હવેલીને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર વિધાનસભા ક્ષેત્રના માટે 20મી નવેમ્‍બરના બુધવારના રોજ ચૂંટણી થઈ રહી છે. જે સંદર્ભે જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ1951ની કલમ 135બી મુજબ મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવાનું પ્રાવધાન કરવામાં આવે છે. જનપ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135ના પ્રાવધાન અનુસાર દરેક મતદાતાઓ જેઓ સરકારી કાર્યાલય, સ્‍થાનીય નિકાય, સાર્વજનિક ક્ષેત્ર, પ્રતિષ્ઠાનો અને દુકાનના કર્મચારીઓ છે જેમાં શિફટ આધારે કામ કરતા કર્મચારી પણ સામેલ છે. આ ચૂંટણી ક્ષેત્રમાં મતદાનના દિવસે સવેતન રજા આપવામાં આવશે. જેથી દરેક વાણિજ્‍ય પ્રતિષ્ઠાન, કારોબાર, વેપારી, ઔદ્યોગિક ઉપક્રમ અથવા કોઈપણ અન્‍ય પ્રતિષ્ઠાનોના દરેકે જન પ્રતિનિધિત્‍વ અધિનિયમ 1951ની કલમ 135 બીના પ્રાવધાનનો પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેઓ દંડના માટે ઉત્તરદાયી રહેશે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

Leave a Comment