August 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રદેશની શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
અલ્‍પસંખ્‍યક આયોગની સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ દમણ ખાતે તેમની મુલાકાત દરમિયાનપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી અમિત સિંગલા અને વિવિધ વિભાગોના સચિવો તથા ઉચ્‍ચ અધિકારીઓ સાથે લઘુમતિ સમાજ સાથે સબંધિત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી અને લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધાઓ, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ અને અલ્‍પસંખ્‍યકોને મળતી ઋણ(લોન) સહાયતા વગેરે જેવી સુવિધાઓની પ્રશંસા કરી હતી.

Related posts

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

Leave a Comment