Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રદેશની શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
અલ્‍પસંખ્‍યક આયોગની સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ દમણ ખાતે તેમની મુલાકાત દરમિયાનપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી અમિત સિંગલા અને વિવિધ વિભાગોના સચિવો તથા ઉચ્‍ચ અધિકારીઓ સાથે લઘુમતિ સમાજ સાથે સબંધિત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી અને લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધાઓ, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ અને અલ્‍પસંખ્‍યકોને મળતી ઋણ(લોન) સહાયતા વગેરે જેવી સુવિધાઓની પ્રશંસા કરી હતી.

Related posts

પક્ષીઘર સહિતની યોજનાઓથી પ્રદેશના પ્રવાસનને ખુબ વેગ મળશેઃ દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા એ.એસ.પી. શ્રીપાલ શેસ્‍માનો અભિનંદન સમારોહ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લાના વીસીઈ કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા ડીડીઓને આવેદનપત્ર પાઠવી હડતાલનું રણશિંગ ફૂંક્‍યું

vartmanpravah

Leave a Comment