April 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રદેશની શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક આયોગના સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
અલ્‍પસંખ્‍યક આયોગની સભ્‍ય સુશ્રી સૈયદ શહજાદીએ દમણ ખાતે તેમની મુલાકાત દરમિયાનપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી અમિત સિંગલા અને વિવિધ વિભાગોના સચિવો તથા ઉચ્‍ચ અધિકારીઓ સાથે લઘુમતિ સમાજ સાથે સબંધિત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી અને લાગતા-વળગતા અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સુશ્રી સૈયદ શહજાદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ વ્‍યવસ્‍થા, આરોગ્‍ય સુવિધાઓ, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્‍વયન, સામાજિક સૌહાર્દ અને અલ્‍પસંખ્‍યકોને મળતી ઋણ(લોન) સહાયતા વગેરે જેવી સુવિધાઓની પ્રશંસા કરી હતી.

Related posts

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

Leave a Comment