March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્‍પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે

24 કલાક ઈમરજન્‍સી સેવા, 4 ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, આઈસીયુ, સીટી સ્‍કેન, લેબ અને બ્‍લડ બેંકની સેવા કાર્યરત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીના વિકાસમાં વધુ એક યશ કલગી ટુંક સમયમાં ઉમેરાશે. બપીઠા હાઈવે ઉપર ઉપ જિલ્લા હોસ્‍પિટલ (મીની સિવિલ)ની કામગીરી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ટુંક સમયમાં વાપીની જનતા આધુનિક મેડિકલ સારવાર અને સેવા ઉપલબ્‍ધ થશે. ખાનગી હોસ્‍પિટલોની ચુંગાલમાંથી છૂટકારો મળશે.
ધારાસભ્‍ય અને નાણા, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ 2022ના બજેટમાં વાપીમાં ઉપ જિલ્લા હોસ્‍પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. તે પછી તા.16 ઓક્‍ટોબરના રોજ સુચિત હોસ્‍પિટલનું ખાતમુહૂર્ત કરાયું હતું. નવિન આકાર થઈ રહેલ હોસ્‍પિટલમાં 113 બેડની ક્ષમતા હશે. 24 કલાક ઈમરજન્‍સી સુવિધા, 4 ઓપરેશન થિયેટર, 19 ઓપીડી, આઈસીયુ, ફાર્મસી, સીટીસ્‍કેન, લેબ અને બ્‍લડ બેન્‍ક સહિતની આધુનિક તબીબીસેવાઓ ઉપલબ્‍ધ થશે. આ હોસ્‍પિટલની કામગીરી ઓક્‍ટોબર 23માં પુર્ણ કરવાની હતી પરંતુ હજુ સુધી ઈમારતની કામગીરી અંતિમ તબક્કામાં છે. ફનિચર અને ઉપકરણો સાધનો સજ્જ કરવામાં એકાદ વર્ષ લાગી જાય તેવું જણાઈ રહ્યું છે. અલબત્ત વાપીમાં ચાલતી સ્‍પેશ્‍યાલિટી કહેવાતી હોસ્‍પિટલોથી સામાન્‍ય લોકોનો છૂટકારો થશે તેવી આશા પણ લોકો સેવી રહ્યા છે. એક વાત નોંધનીય છે કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈના કાર્યકાળમાં વાપીની કાયાપલટ થઈ રહી છે. અનેક વિકાસ પ્રોજેક્‍ટ પૂર્ણ થયા છે. કેટલાક પાઈપલાઈનમાં છે. વાપીના વિકાસ કાર્યોની સુચી લાંબી છે પરંતુ આવનારા સમયમાં વાપી મહાનગરપાલિકામાં આ વિકાસ કાર્યો માઈલસ્‍ટોન ચોક્કસ બની રહેનારા હશે.

Related posts

શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા તથા અતુલ રૂરલ ડેવલોપમેન્‍ટ ફંડ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે કાંજણહરીમાં આયોજીત રક્‍તદાન શિબિરમાં 86 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

Leave a Comment