September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

મહેસાણાજિલ્લા પ્રગતિ મંડળ વાપીએ ઊંઝા-વાપી સ્‍લિપર બસ યથાવત ચાલું રાખવા માંગણી કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ડેપો (બલીઠા)થી નિયમિત સાંજના 8 કલાકે વાપીથી સ્‍લિપર કોચ બસ ઊંઝા કાર્યરત હતી તે બસ તા.1 ડિસેમ્‍બરથી એસ.ટી. નિગમો બંધ કરી હતી. તેથી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળે એસ.ટી. નિગમને લેખિત રજૂઆત કરી વાપી-ઊંઝા બંધ કરાયેલ રૂટ પૂર્વવત ચાલું કરવાની માંગણી કરી હતી. તેનો પ્રતિઉત્તર એસ.ટી. નિગમે પાઠવી જણાવ્‍યું છે. સદર બસ વાપીથી બંધ કરીને ધરમપુર-ઊંઝા નવો રૂટ ચાલુ કર્યો છે.
એસ.ટી. નિગમએ મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, વાપી-ઊંઝા રૂટ બંધ કરવાનું કારણ છેલ્લા છ મહિનાથી આવકનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઊંઝા-મહેસાણા તરફ જતા મુસાફરો વલસાડ વડનગર સુપર ફાસ્‍ટ ટ્રેન કાર્યરત થતા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. તેથી આવક ઘટતા વાપી-ઊંઝા સ્‍લિપર કોચ વાપીથી બંધ કરી ધરમપુરથી કાર્યરત કરવામાં આવ્‍યો છે તેની નોંધ લેવી. વધુમાં એસ.ટી. નિગમે જણાવ્‍યું હતું કે, વાપીથી મહેસાણા-ઊંઝા-પાટણ જવા માટે સેલવાસ, પાટણ વાપીથી 18.05, સેલવાસ પાટણ વાપીથી 18.15, વાપી-ચાણસ્‍મા 19.00, સેલવાસ-વાવ 17.40, વાપી-મહેસાણા 21.00 કલાકે બસો હાલમાંનિયમિત ચાલી રહી છે. તેનો લાભ લેવા જણાવાયું છે.

Related posts

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

દાદરાની કંપનીના ગોડાઉનમાંથી પેપર બોર્ડની ચોરીની ઘટનામાં પાંચ આરોપીઓની કરાયેલી ધરપકડ

vartmanpravah

vartmanpravah

Leave a Comment