January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારીવલસાડવાપી

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીઍ અંતરિયાળ ઍવા કપરાડા તાલુકાના સી.ઍચ.સી.ની મુલાકાત લઇ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડ વેક્સીનેશન ડોઝ પૂર્ણ થવા બદલ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે છેવાડાનાં અંતરિયાળ ગામ રોહિયાળ જંગલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના શાહુડા અને નાની પલસાણ ગામોની મુલાકાત પણ લીધી હતી. જ્યાં આંગણવાડીની મુલાકાતમાં ધ્યાને આવેલા કુપોષિત/ અતિકુપોષિત બે બાળકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરી પોષણ પુરું પાડવાની કાર્યવાહી કરવા સી.ડી.પી.ઓ. તથા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીઍ નાની પલસાણ અને શાહુડા ગામોમાં રાત્રિસભા યોજી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા નુક્કડ નાટક (શેરી નાટક) ભજવી લોકોમાં વેકસીનેશન અંગે જાગૃતિ લાવવા તથા રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચેકડેમ, આંગણવાડી બાંધકામ/ મરામત જેવા કામો તથા રસ્તા પર નાળું નાખવા જેવા કામોની લોકોઍ કરેલી રજૂઆત સાંભળી સંબંધિત વિભાગને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

Related posts

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાએ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં નાની નાની વાતોની પણ કાળજી રાખી આભાર વિધિમાં કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ લોકોને જોડી પોતાની ટીમ ભાવનાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah

Leave a Comment