July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

બોલીવુડના સુપર સ્‍ટાર અક્ષય કુમારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત : શૂટીંગ માટે સહયોગ આપવા બદલ પ્રગટ કરેલો આભાર

  • દમણના સૌંદર્ય અને બદલાયેલી સિકલ નિહાળી પ્રભાવિત બનેલા અક્ષય કુમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
હિન્‍દી ફિલ્‍મોના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્‍ડિઝે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ ફિલ્‍મની શૂટીંગ માટે સહયોગ કરવા બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોલીવુડના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્‍ડિઝ પોતાની અગામી ફિલ્‍મ રામસેતુનું શૂટીંગ દમણના વિવિધ સ્‍થળોએ કર્યુ હતું. રામસેતુ ફિલ્‍મનું શૂટીંગ પહેલા શ્રીલંકામાં કરવાનું આયોજન હતું પરંતુ કોરોના વાયરસના પ્રોટોકોલના કારણે શ્રીલંકાની જગ્‍યાએ આ ફિલ્‍મના શૂટીંગનો સેટ દમણમાં લગાવવામાં આવ્‍યો છે. દમણ શૂટીંગ પૂર્ણ કર્યા બાદ શ્રી અક્ષય કુમારે આજે સાંજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી શૂટીંગ માટે સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
બોલીવુડના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર દમણની બદલાયેલી સિકલ નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા અને ફિલ્‍મ શૂટીંગ માટે દમણ એક હબ બની શકે એવીસંભાવના પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં શ્રી અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્‍ડિઝની ટીમે રામસેતુ બીચ રોડની પણ સફર કરી હતી. આ પ્રસંગે પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ

vartmanpravah

Leave a Comment