નવિન રોડ કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનું બહાર આવતા લોકોમાં નારાજગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા. 02
ચોમાસા દરમિયાન વાપી વિસ્તારના મોટાભાગના રોડ બેહાલ બની ગયા હતા. બાદમાં ચોમાસાની વિદાય બાદ માત્ર દશ-પંદર દિવસ પહેલાં જ નવિન રોડો બનાવવાની કામગીરી જાહેર બાંધકામ વિભાગે શરૂ જ જ્યાં કરી તે ત્યાં નવા બનાવાયેલ રોડો પર માત્ર ગણતરીના જ દિવસોમાં ઠેર-ઠેર ખાડા પડવા શરૂ થઈ જતા લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
વાપી-છીરી રામનગર-કોપરલી રોડને તાજેતરમાં દશ, બાર દિવસ પહેલાં નવા બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી ત્યાં જ નવા બનાવેલ રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડવા શરૂ થઈ ગયા છે. કેટલી હલકી કક્ષાની ગુણવત્તાવાળા રોડ તંત્રએ બનાવ્યા છેતેનો જવાબ ખાડા આપી રહ્યા છે. આ રોડ હજુ માંડ નવો બન્યો છે તો તૂટવો ચાલુ થઈ ગયો તો તે ચાલશે કેટલા દિવસ? આથી રોજીંદી અવર-જવર કરનાર અને સ્થાનિકો દ્વારા ખરાબ રોડ કામગીરીને લઈ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જાહેર બાંધકામ વિભાગમાં ઘર કરી ગયેલો ભ્રષ્ટાચાર આ રોડ પુરાવારૂપ સાબિત કરી જાય છે.