January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

ગુજરાતની ટોરેન્‍ટ પાવરને એલ.ઓ.આઈ. સુપ્રત કરાયા બાદ અધિકૃત રીતે વિદ્યુત વિભાગના માલિક તરીકેની કામગીરી શરૂ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05
ભારત સરકારે તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત વિભાગ/નિગમોના ખાનગીકરણ માટે લીધેલા નિર્ણયના પગલે હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનાખાનગીકરણ માટે હવે માત્ર દિવસોની ગણતરી શરૂ થઈ છે. નજીકના દિવસોમાં ગુજરાતની ખાનગી કંપની ટોરેન્‍ટ પાવરને પ્રશાસન દ્વારા લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ(એલ.ઓ.આઈ.) સુપ્રત કરાયા બાદ ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લી.ના 51 ટકાના હિસ્‍સા માટે પોતાની દાવેદારી રજૂ કરતો પત્ર સંઘપ્રદેશ પ્રશાસનને સુપ્રત કરશે. તેની સાથેજ કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ/નિગમના માલિક તરીકેનો હક ટોરેન્‍ટ પાવરને મળી જશે.
અત્રે યાદ રહે કે, નફો રળી આપતા વિદ્યુત વિભાગ/ નિગમને ખાનગી હાથોમાં સોંપવાનું ખરાબ પરિણામ પણ પ્રદેશની જનતાને જોવા મળશે. જ્ઞાત સાધનોના જણાવ્‍યા પ્રમાણે ઉદ્યોગો અને વ્‍યવસાયિક વિદ્યુતના દરમાં વધારો થવાની સાથે સાથે ઘરેલું ઉપભોક્‍તાના દરોમાં પણ વધારો થશે. સંપૂર્ણ રીતે વ્‍યવસાયિક અભિગમ સાથે ગુજરાતમાં પોતાનું કારોબાર ચલાવતી ટોરેન્‍ટ પાવર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સેવા કરવા માટે નહીં પરંતુ નફો રળવા માટેજ આવી હોવાથી વિજળીના વીજ બિલ વધારાનું ભારણ નિヘતિ રીતે પડવાનું હોવાનું માનવામાં આવે છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવના ત્રણેય જિલ્લાનો નફો, વિદ્યુતના આજના દર પ્રમાણે રૂા.150 કરોડ કરતા વધુછે. તેવામાં વિજળીનો દર ખાનગી કંપની દ્વારા વધારવામાં આવશે તો, માત્ર બે-ત્રણ વર્ષમાંજ ટોરેન્‍ટ પાવર કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ/નિગમને ખરીદવા માટે ચૂકવનારા રૂા.પપપ કરોડ માત્ર બે-ત્રણ વર્ષમાંજ વસૂલ કરી લેશે.
સંઘપ્રદેશ દાદર નગર હવેલી અને દમણ-દીવમાં ઘરેલું વિજળીના દરોમાં સંભવિત ભાવ વધારોનો ભયતો રહેવાનો જ છે. પરંતુ સૌથી વધુ અસર વિવિધ રાજ્‍યોમાંથી નોકરી માટે આવી વસેલા હજારો મજૂરો અને કામદારોને થવાનો છે. કારણ કે તેઓ ચાલ કે ફલેટમાં રહેતા હશે તો, તેમના ઉપર બીલ વધારાનો બોઝ આવવાની પૂરી શક્‍યતા છે. સંઘપ્રદેશમાં ર001થી ટેક્ષ બેનીફીટ ખતમ થવા છતાં ફક્‍ત સસ્‍તી વિજળીના કારણે ઉદ્યોગોએ પલાયન નહી કરતા અહીની સમૃદ્ધિ યથાવત રહેવા પામી છે અને કામદારો તથા કર્મચારીઓને પણ મોટું નુકસાન ઉઠાવવા પડયું હતું. પરંતુ હવે વિજળીના દર વધવાની સંભાવના હોવાથી મોટા ભાગના ઉદ્યોગો અહીંથી પલાયન કરી જશે એવી ભીતિ પણ વ્‍યક્‍ત થઈ રહી છે ત્‍યારે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બહુ મોટી આર્થિક સમસ્‍યા ઉભી થવાની પણ શક્‍યતા છે.

Related posts

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડના કવયિત્રી દર્શના કનાડા માળીનું વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર તરીકે થયું સન્‍માન

vartmanpravah

Leave a Comment