Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 16
વલસાડ તારીખ 15 વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે આગામી તા.20/03/2022ના રોજ બપોરે 12:15 કલાકે વલસાડ ખાતે કોળી પટેલ સમાજની વાડીમાં સમસ્‍ત કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુક યુવક-યુવતી ઓનો પરિચયમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગુજરાતના ખેતી વાડી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના રાજ્‍યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહેશે.
આ પરિચય મેળાની જાણકારી આપતા વલસાડ કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને ભાજપના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ કે. પટેલે જણાવ્‍યું છે કે વલસાડ અને સમસ્‍ત ગુજરાત સહિત દેશ-વિદેશમાં કોળી પટેલ સમાજ ફેલાયેલો છે.
કોળી પટેલ યુવક યુવતીઓને લગ્ન માટે યોગ્‍ય પાત્ર માળે વિશાળ તક મળી રહે તે માટે વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા સમસ્‍ત કોળી પટેલ સમાજના યુવક-યુવતીઓનો પસંદગી મેળાનું વિના મુલ્‍ય આયોજન કરેલ છે. જેમાં મોટી સંખ્‍યામાં લગ્નોત્‍સુક યુવક-યુવતીઓ ભાગ લેનાર છે.
વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા લગ્નોત્‍સુક યુવક યુવતીઓના વાલીઓ તરફથી નોંધણી કરાવેલ નામોની વિગતો દર્શાવતી પુસ્‍તિકા પણ તૈયાર કરવામાં આવી છે જે પરિચય મેળાના દિવસે સમારંભના સ્‍થળેથી મળી શકશે. આ કાર્યક્રમમાં સમાજના યુવક-યુવતીઓને પ્રોત્‍સાહીત કરવા માટે ગુજરાત સરકારના રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપનાર છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ, પરિચય મેળાના કન્‍વીનર અને મંડળના સહમંત્રી શ્રી રોહિતભાઇ પટેલ,મંત્રીશ્રી રામુભાઇ પટેલ, તથા સહ કન્‍વીનર શ્રી ભરતભાઇ પટેલ તથા કારોબારી સમિતિના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

Leave a Comment